અંતર ખેડ - શિક્ષામૃત
શિક્ષામૃત
પુ. સહજાનંદ સ્વામી દ્વારા પોતાના આશ્રિતો માટે યોગ્ય જીવનધર્મનો માર્ગ બતાવતા સુત્રો શિક્ષાપત્રી તરીકે જાણીતા છે. કોઈપણ યુગમાં પ્રસ્તુત આ ધર્મબોધમાંથી કેટલાક અમૃત બિંદુઓ આપણે પણ ઝીલીએ. અમારા આશ્રિત કોઈ જીવ પ્રાણીમાત્રની પણ હિંસા ન કરવી અને જાણીને તો
ઝીણા એવા જૂ, માંકડ, ચાંચડ આદિ જીવની પણ હિંસા ન કરવી.
- અમારા આશ્રિત કોઈ જીવ પ્રાણીમાત્રની પણ હિંસા ન કરવી અને જાણીને તો ઝીણા એવા જૂ, માંકડ, ચાંચડ આદિ જીવની પણ હિંસા ન કરવી.
- દેવતા કે પિતૃઓના યજ્ઞાર્થે પણ બકરાં, મૃગલાં, સસલા, માછલાં આદિ કોઈ જીવની હિંસા ન કરવી કેમકે અહિંસા છે તે જ મોટો ધર્મ
છે – એમ સર્વ શાસ્ત્રોમાં કહ્યું છે.
- સ્રી, ધન, રાજ્યની પ્રાપ્તિ અર્થે પણ કોઈ મનુષ્યની હિંસા તો કોઈ પ્રકારે
ક્યારેય પણ ન જ કરવી.
- આત્મઘાતનો તો તીર્થમાં પણ વિચાર ન કરવો. ક્રોધના આવેશમાં આવીને
ક્યારેય કોઈ અયોગ્ય આચરણ થઈ જાય તો મુંઝાઈને પણ આત્મઘાત ન કરવો.
- ઝેર ખાઈને કે ગળે ટુંપો ખાઈને તથા કૂવે પડીને અથવા પર્વત પરથી પડીને
ઈત્યાદિક કોઈ રીતે આત્મઘાત ન કરવો.
- ક્યારેય પણ પોતાનાથી કોઈ અયોગ્ય આચરણ થઈ ગયું હોય તો શસ્ત્ર આદિથી
પોતાના કે બીજાના અંગનું છેદન ન કરવું.
- અમારા આશ્રિત પુરૂષ કે સ્ત્રીઓએ ક્યારેય પણ વ્યભિચાર ન કરવો. જુગાર
આદિનો ત્યાગ કરવો.
- જો માંસ કોઈ યજ્ઞનું શેષ હોય તો પણ આપત્કાળમાં પણ ક્યારેય ન ખાવું.
- ત્રણ પ્રકારની સુરા કે અગિયાર પ્રકારનું મદ્ય જો કોઈ દેવને ચડાવેલ
નૈવેદ્ય હોય તો પણ ન પીવું.
- જે દેવતાને સુરા અને માંસનું નૈવેદ્ય થતું હોય અને વળી જે દેવતાની
આગળ બકરા આદિ જીવોની હિંસા થતી હોય તે દેવતાનું નૈવેદ્ય પણ ન ખાવું.
- જો ઔષધ દારુ કે માંસયુક્ત હોય તે પણ ન ખાવું. વળી જે વૈદ્યના આચરણને
જાણતા ન હોઈએ તેણે આપેલ ઔષધ પણ ક્યારેય ન ખાવું.
- ભાંગ, મફર, માજમ, ગાંજો આદિ કેફ કરનાર વસ્તુઓ ખાવા નહી
અને પીવા પણ નહી.
- અમારા આશ્રિતોએ દર્મનું કામ કરવા માટે પણ ક્યારેય ચોરનું કર્મ ન કરવું.
કાષ્ટ, પુષ્પ વગેરે કોઈપણ વસ્તુ જો કોઈની
ધણીયાતી હોય તો તે તેના ધણીની આજ્ઞા વિના ન લેવું.
- કોઈ જગ્યાએ ચોરમાર્ગેથી પેસવું નહી. કોઈના ધણીયાતા સ્થાનમાં તેના
ધણીને પુછ્યા વિના જવું નહી કે ઉતારો કરવો નહી.
No comments:
Post a Comment