તમે બજેટ બનાવ્યું ?
ખેડૂત
ભાઈઓ અને બહેનો,
કુશળ હશો.

અને મને યાદ છે ત્યાં સુધી તત્કાલીન
વડાપ્રધાનશ્રી વી.પી.સિંઘની સરકારના નાણામંત્રીશ્રી મધુ દંડવતે એ ફેબ્રુઆરી
૧૯૯૦માં રજુ કરેલા બજેટ થી આજ દિન સુધી બજેટ એ શાસક પક્ષ અને વિરોધ પક્ષ વચ્ચે
વાદવિવાદનું હાથવગું બહાનું રહ્યું છે. સત્તાપક્ષ કહેશે વિકાસાભીમુખ બજેટ તો
વિપક્ષ કહેશે આંકડાની માયાજાળ. ખેર એવી રાજનીતિ એ બધા લોકોને મુબારક. પરંતુ આપણે
તો માત્ર એ જોવા પર ભાર મુકીએ કે આ બજેટમાં દેશવાસીઓના જઠરાગ્નિ માટે
ફાયરબ્રિગેડનું કામ કરનાર એટલે કે સૌના પેટની આગ બુઝાવનાર ખેડૂત અને કૃષિક્ષેત્ર
માટે આ બજેટમાં કેટલી જોગવાઈઓ કે યોજનાઓ અથવા નીતિઓ રજુ કરવામાં આવી છે.
વર્ષ ૨૦૧૬-૧૭ માટે રાજ્ય સરકારના નાણામંત્રીશ્રી
સૌરભ પટેલે રજુ કરેલ બજેટમાંથી ખેડૂત અને કૃષિક્ષેત્રને
સ્પર્શતી જાહેરાત અને
જોગવાઈઓ જોઈએ તો તેમણે કૃષિ અને સંલગ્ન પ્રવૃતિઓ માટે ૫૯૪૦.૦૮ કરોડ, ગ્રામિણ વિકાસ
માટે ૨૭૬૪.૮૯ કરોડ, સિંચાઈ અને પૂર નિયંત્રણ માટે ૧૪૨૯૪.૨૦ કરોડ, કૃષિ અને સહકાર
વિભાગ માટે ૫૭૯૨.૪૫ કરોડ, જળ સંપત્તિ અને કલ્પસર માટે ૫૨૪૪ કરોડ, પશુપાલન અને ગૌ
સંવર્ધન માટે ૬૧૪.૫ કરોડ, વન અને પર્યાવરણ માટે ૧૨૯૨.૮૬ કરોડ, ઓર્ગેનિક ખેતી માટે
૧૦ કરોડની જોગવાઈ કરી છે. આ ઉપરાંત ખરીફ પાક માટે ૧ ટકાના વ્યાજદરે ૬ લાખ સુધીનું
ધીરાણ આપવા ૩૭૫ કરોડ, સૌરાષ્ટ્ર નર્મદા અવતરણ સિંચાઈ (સૌની) યોજના માટે ૨૦૦૦ કરોડ,
નર્મદાની કચ્છ શાખા નહેરના ત્રણ પમ્પીંગ સ્ટેશન અને સૌરાષ્ટ્ર શાખા નહેરના પાંચ
પમ્પીંગ સ્ટેશન માટે ૮૬૨ કરોડ, ખેડૂતોની જમીન સંપાદન કર્યા વિના રાજ્યના ૬૪ તાલુકાના
૫ લાખ હેક્ટર વિસ્તારને સિંચાઈનો લાભ મળે તે માટે ૧૨,૫૦૦ કિલોમીટર લાંબી ભૂગર્ભ
પાઈપલાઈન કામ માટે ૨૦૨૧ કરોડ, ખેડૂત વીજ સબસિડી માટે ૪૦૧૦.૭૫ કરોડ તેમજ ખેડૂતોને ૧
લાખથી વધુ કૃષિ વીજ જોડાણ આપવા ૧૬૪૩.૫ કરોડની જોગવાઈ પણ કરી છે.
મિત્રો, સરકાર તો પોતાનું કામ કરશે.
પરંતુ આ સમયે આપણું પણ કામ છે કે આપણે પોતાની ખેતીનું બજેટ બનાવીએ. એક ડાયરી લઈ
તેમાં આગામી એપ્રિલ થી માર્ચ સુધીના વર્ષમાં ખાતર, બીયારણ, દવાઓ, ઉપજના બજારભાવ,
મજૂર, વાહનભાડા, ધિરાણ, ઘરખર્ચ, તહેવાર-પ્રસંગ, આકસ્મીક ખર્ચ વગેરે માટે આવક
જાવકની જોગવાઈઓ જુઓ, ખરીદી, ખર્ચ અને ઉપજ વેચાણ માટે સરેરાશ કાઢીને નોધ કરો. અને
હા... તમે બનાવેલ બજેટની એક નકલ અમને મોકલી આપો. કેમકે, જી-વીન ગૃપ તરફથી અપાનાર
આકર્ષક ભેટ તમારી રાહ જોવે છે. (આ માટે વધુ વિગતો પાના નં. ___ પર આપેલ છે.)
તો ચાલો મિત્રો, ધૂળેટી (૨૪
માર્ચ)ની શુભાકામનાનાં રંગોમાં એક રંગ હિસાબ-કિતાબનો પણ ઉમેરીએ અને રાષ્ટ્રને સંતુલિત વિકાસનો હરિયાળો રંગ લગાડી સમૃદ્ધ
ખેતી તરફ લઇ જઈએ.
આપનો,
નરેન્દ્ર વાઘેલા
No comments:
Post a Comment