Friday, 15 December 2017

સાચી સુંદરતા

પ્રસિદ્ધ ગ્રીક તત્વજ્ઞાની સોક્રેટીસ એકવાર પોતાના ઓરડામાં અરીસાની સામે ઊભા રહી, પોતાના ગોળમટોળ ચહેરાને એકીટશે જોઈ રહ્યા હતા. એવામાં અચાનક એક શિષ્ય તેમના ઓરડામાં દાખલ થયો. અરીસાની સામે સોક્રેટીસને ઊભેલા જોઈ એ હાસ્ય રોકી ના શક્યો.
ખડખડાટ હસવાના અવાજથી સોક્રેટીસનું ધ્યાન એ તરફ ગયું. શિષ્યને હસતા જોયો એટલે સોક્રેટીસે તેને કહ્યું, ‘તું શા માટે હસે છે એ મને ખબર છે ! સફેદ દાઢી, ટાલીયું માથું અને કરચલીવાળો ઘરડો ચહેરો હોવા છતાં હું અરીસામાં જોઉ છું એટલે તું હસે છે... કેમ બરાબર ને ? પણ કદાચ તું જાણતો નહિ હોય કે, આ કઈ આજની વાત નથી. હું તો દરરોજ ખાસ્સો એવો સમય આ જ રીતે અરીસા સામે ગાળું છું.’
થોડો વિચાર કરીને તે શિષ્યે સોક્રેટીસને પૂછ્યું, ‘ચહેરો જો સુંદર, રૂપાળો, મનમોહક હોય અને અરીસો જોઈએ તો કંઇક મજા આવે. માફ કરજો પણ.... આવો કુરૂપ ચહેરો જોઈને દુઃખી શા માટે થવું ?’
અર્થસભર સ્મિત કરીને સોક્રેટીસે કહ્યું કે, ‘બેટા, હું મારા આ કુબડા ચહેરાને દરરોજ અરીસામાં જોઉં છું. તેનાથી મને એ વાત સતત યાદ રહે છે કે મારું શરીર ગમે તેટલું કદરૂપું હોય પણ લોકો મને મારા કાર્યો અને વિચારોથી યાદ રાખે છે. તું ધારે તો તપાસ કરી શકે છે કે આ જેટલા પણ લોકો મને ચાહે છે, તેઓને ફક્ત મારા કાર્યોની સુંદરતાને કારણે, મારા ચહેરાને કારણે નહીં.’
થોડી અસમંજસમાં હોય તે રીતે પ્રતિભાવ આપતા શિષ્યએ પૂછ્યું, ‘તો પછી જે લોકો સુંદર હોય એણે શું સમજવું ?’
જીવનને જાણી ચૂકેલા સોક્રેટીસે પ્રેમથી શિષ્યને પ્રત્યુત્તર આપ્યો, ‘સુંદર દેખાવવાળા લોકોએ પણ દરરોજ અરીસામાં જોઇને એમ વિચારવું જોઈએ કે, ઈશ્વરે મારા પર દયા કરીને કેવી અદભુત સુંદરતા આપી છે. હું પ્રયત્નપૂર્વક એ વાતનું ધ્યાન રાખીશ કે એવું કોઈ ખરાબ કાર્ય મારાથી ન થઇ જાય કે જેને લીધે લોકો મારા આ સુંદર ચહેરાને ભૂલી જાય.’
મિત્રો, આપણો ચહેરો રૂપાળો હોય કે કુરૂપ હોય પરંતુ દરરોજ તેને અરીસામાં જોઇને મહાન સોક્રેટીસની આ વાતને ચોક્કસ યાદ કરજો.

Saturday, 2 December 2017

પ્રકૃતિ તરફ પુન:પ્રયાણ

મિત્રો, સમૃદ્ધ ખેતી સામયિક પ્રકાશિત કરતા જી-વીન ગૃપના લોગો સાથે આપે એક નીતિસૂત્ર વાંચ્યું હશે RECONNECT WITH NATURE  એટલે કે ‘પ્રકૃત્તિ તરફ પુનઃપ્રયાણ’. આપણે કેટલીયે વખત વાતવાતમાં કહેતા-સાંભળતાં હોઈએ છીએ કે, ‘હવે પહેલા જેવું નથી રહ્યું...’ અગાઉના સમયનું જીવન જ ખરું અને સાત્વિક જીવન હતું...’ ‘હવે તો માત્ર જીવનનો સમય પસાર કરતા હોય તેવું લાગે છે...’ ‘સાચો ખોરાક અને સાચા હવા-પાણી તો હવે માત્ર સપનું જ રહ્યું છે...’ આજની પેઢીને ખેતી કે ગામડું ક્યાં ગમે જ છે...? વગેરે વગેરે. પરંતુ શું ક્યારેય આપણે નીરાંતવા બેસીને વિચાર્યું છે કે આ પરિવર્તન આવ્યું કઈ રીતે ? અને તેને લાવ્યું કોણ ? વિચારશો તો ચોક્કસ જવાબ મળશે કે ‘તેનું કારણ આપણે પોતે જ હતા !’
Reconnect to Nature
મેં એવા અનેક માં-બાપોને પોતાના બાળકોને સતત એવું કહેતા સાંભળ્યા છે કે, ‘ભણો...ભણો... નહીતર અમારી જેમ ખેતી-મજૂરી કરવી પડશે અને ખેતી કરવી તમારું કામ નહિ !’ બેશક આમ કહેવા પાછળ વાલીઓએ પોતે સહન કરેલ અનેક સમસ્યાઓ ઈતિહાસ અને સંતાનોના સારા ભવિષ્યની કામનાનો આશય હશે. પરંતુ મનોવિજ્ઞાનના નિયમ અનુસાર તત્કાલીન પેઢીના બાળમાનસમાં બે વાતો ઘર કરી ગયેલી. એક તો ખેતીનું કોઈ ભવિષ્ય નથી અને બીજું અમારાથી (ભણેલાથી) ખેતી ન થાય/કરાય. આ માનસિક/કાલ્પનિક ડર આજે પણ યુવાનોને ખેતીથી દૂર રાખવામાં મહદંશે સફળ રહ્યો છે.
મિત્રો, જેમ લાખો નિરાશામાં એક અમર આશા છુપાયેલી હોય છે તેમ ઉપરોક્ત ચિંતાના નિવારણ સબબ જી-વીન ગૃપનું નીતિસૂત્ર ‘પ્રકૃત્તિ તરફ પુનઃપ્રયાણ’ રામબાણ સાબિત થઇ શકે તેમ છે. આજે અનેક યુવાનો પ્રકૃત્તિ તરફ પાછા ફરવાના અભિયાનનો આરંભ કરી ચૂક્યા છે. ખાસ કરીને ખેતીક્ષેત્રે આવીને સફળ થઇ રહેલા કેટકેટલાય યુવાન, ઉદ્યમી, સાહસિક ખેડૂતો દેશના ઉજ્જવળ ભવિષ્યની રેખાને વધુ મજબૂત અને વધુ પ્રકાશમાન કરી રહ્યા છે. આ ગુજરાતી યુવાનોમાંથી અમુક નામો ગણાવીએ તો બોરીયાવી (આણંદ)ના દેવેશ પટેલ, વડાલ (જુનાગઢ)ના રેશમા અને સંદીપ પટેલ, અવાખલ (વડોદરા)ના વિપુલ નવનીતભાઈ, પાલનપુરના મંદાકિની રાઠોડ, દેવકી ગાલોળ (જેતપુર)ના ચિરાગ શેલાડીયા, તાલાળા (ગીર)ના પરવેઝ કુરેશી, ઢોલરા (રાજકોટ)ના ધ્રુવલ પટોળીયા વગેરે જાતે ખેતી કરી અને ખેતીને એક ઉદ્યોગના દરજ્જે લઇ ગયા છે.
આજે આવા અસંખ્ય યુવાનો ગામ, રાજ્ય, રાષ્ટ્રનું ભાવિ પ્રકાશવા પ્રકૃત્તિ તરફ પાછા વળવાની રાહ જોઇને ઉભા છે. જરૂર છે માત્ર એક હળવા ‘પુશ’ ની... મિત્રો, લોકશાહીનું મહાપર્વ આવી રહ્યું છે એટલે કે ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે તા. ૯ અને ૧૪ ડીસેમ્બર ના રોજ મતદાન કરવાનો અવસર આવી રહ્યો છે. આ તકે ગુજરાતના તમામ નાગરિકો સાથે મળીને પોતાના મતાધિકારનો નિર્ભયતાથી અને વિવેકપૂર્ણ ઉપયોગ કરે તેમજ રાષ્ટ્રને હરિયાળા વિકાસના માર્ગ પર લઇ જનાર સરકારની રચના કરે તેવી શુભકામનાઓ સાથે...

Monday, 6 November 2017

સાચી અસ્મિતા

મિત્રો, ખૂબ જ નજીકના સમયમાં ગુજરાત રાજ્યની વિધાનસભાની ચૂંટણી આવી રહી છે. દરેક રાજકીય પક્ષ પોતપોતાના એજન્ડા અને નીતિઓ મુજબ મતદારોને આકર્ષવાનો ભરપુર પ્રયાસો કરી રહ્યા છે ત્યારે આ વાત કરવી મને ખૂબ જરૂરી લાગે છે. છેલ્લા કેટલાય સમયથી રાજ્યમાં ચૂંટણીનો માહોલ જામી રહ્યો છે. પક્ષ-વિપક્ષ દ્વારા યેનકેન પ્રકારે પ્રજામાં પોતાના તરફી વાતાવરણ ખડું કરવા માટે વિવિધ પ્રકારના આયોજનો થઇ રહ્યા છે અને ચૂંટણી પૂરી થયા સુધી થતા જ રહેશે. આપણું સામાયિક કૃષિલક્ષી હોવા છતાં રાજકારણની આ વાત અહી એટલા માટે કરી રહ્યો છું કે, આ સમયગાળામાં જો આપણે થોડીઘણી સાવચેતી રાખીએ તો ગુજરાતી પ્રજાની જગજાહેર અસ્મિતાને ક્યાંય દાગ ન લાગે.
આપણે સૌ જાણીએ છીએ કે ચૂંટણીની મોસમ તો એક-બે માસમાં પૂરી થઇ જશે, જે-તે પક્ષની બહુમતી અથવા તો જોડ-તોડ દ્વારા ગઠબંધનની નવી સરકાર પણ બની જશે. પરંતુ આ સમય દરમ્યાન જે ચૂંટણી પ્રચાર થવાનો છે તેમાં હુંસાતુંસી કે પોતાની વિચારધારા જ મહાન છે તેવું દર્શાવવામાં એટલી કાળજી અવશ્ય લેવી ઘટે કે આપણા આપસના સંબંધો કે એકબીજાની લાગણીઓને ઠેસ ન પહોંચે. આપણાથી એવો વ્યવહાર કે વર્તન ન થાય એનું ધ્યાન રાખીએ. ચુંટણી પ્રચારના જોશમાં કોઈના ધર્મ-રીત-રીવાજ-માન્યતાઓનો અનાદર ન થાય તેનો ખાસ ખ્યાલ રાખવો ખૂબ જ જરૂરી છે.
મિત્રો, ચૂંટણી એ આપણા સહુની સગવડ માટે, સારી શાસન વ્યવસ્થા બને તે માટે યોજવામાં આવે છે. પરંતુ ઘણી વખત જોવામાં આવ્યું છે કે ચૂંટણી સમયના એવા કોઈક બનાવો - ઘટનાઓ કે બેજવાબદારીપૂર્ણ અપાયેલા નિવેદનો અને મંતવ્યોને લઈને બે સમાજ, બે વ્યક્તિ કે પરિવારની અંદર જ વેરઝેર બંધાઈ ગયા હોય. વિવિધતામાં એકતા અને બંધારણમાં અપાયેલ સ્વતંત્રતાના મૂળભૂત અધિકારોનું જતન કરવું એમાં જ આપણું ખમીર, આપણી અસ્મિતા સમાયેલી છે.
કોઈ પ્રકારની લોભ-લાલચ કે કોઈ ધાક-ધમકીથી પ્રભાવિત થયા વગર કે સાચા ખોટા પ્રચારથી અંજાયા વગર સ્થિર બુદ્ધિથી નિર્ણય કરીએ અને લોકતંત્રના મહાપર્વની ઉજવણી કરીએ તો સંભવિત ભાવી અસ્થિરતાને રોકી શકાય તેમ હોય છે. જોકે ગુજરાતની રંગબેરંગી અસ્મિતા જાળવી રાખવાની વાત ગુજરાતી પ્રજાની ગળથુંથીમાં જ હોય એ સ્વાભાવિક છે છતાં પણ ચૂંટણી પ્રચાર અને તેના સમયગાળા સંદર્ભે એક હિન્દી કહેવત ‘हां...हां... सब की करना, गली अपनी माता भूलना..’ પણ ખાસ યાદ રાખવી જોઈએ.
વિક્રમ સંવત ૨૦૭૪ ના નૂતન વર્ષે આપણે સંકલ્પ કરીએ કે ગુજરાતીપણાની વિવિધતામાં સમાયેલી સાચી અસ્મિતાને આમ જ આગળ વધારતા જઈને રાષ્ટ્રને સમૃદ્ધ ખેતી દ્વારા હરિયાળા વિકાસના માર્ગે આગળ લઇ જઈએ. દેવદિવાળી અને ગુરુ નાનકદેવ જયંતી (૪ નવે.) તેમજ સમગ્ર વિશ્વને કર્મયોગનો રાહ ચીંધનાર શ્રીમદ્ ભગવદગીતા જયંતી (૩૦ નવે.) ની શુભકામનાઓ સાથે...

Wednesday, 11 October 2017

ખુશહાલીનો ઉલ્લાસ

મિત્રો, ઓક્ટોબર માસ એટલે તહેવારો, ઉજવણીઓ, પ્રેરણાદાયી મહાપુરૂષોની જન્મ જયંતીનો મહિનો. પારંપરિક તહેવારોની વાત કરીએ તો પાંચમી ઓક્ટોબર એટલે નૃત્યના આનંદ સાથે આરોગ્યની ભેટ ધરતો શરદપૂનમનો ઉત્સવ. આમ તો શરદ ઋતુને રોગનું ઘર કહેવામાં આવ્યું છે. પરંતુ સાથે જ આયુર્વેદના તજજ્ઞો કહે છે કે શરદ ઋતુમાં રાત્રી જાગરણ કરીએ, પિત્તશામક ખોરાક લઈએ, અને પરસેવો વહી જાય એટલી શારીરિક મહેનત કરીએ તો અનેક રોગો થતા જ નથી. કદાચ એટલા માટે જ આપણી સંસ્કૃતિમાં શરદકાળ દરમ્યાન રાત્રે મોડે સુધી રાસગરબા રમવાની ગોઠવણ કરવામાં આવી છે. આ સાથે ઉત્તમ પિત્તનાશક તરીકે ખીર કે દૂધ પૌઆ પણ એટલે જ આરોગવામાં આવે છે.
આપણી ભારતીય પરંપરાના લગભગ બધા જ તહેવારો વૈજ્ઞાનિક અભિગમથી જ શરૂ કરવામાં આવ્યા છે. હવે દિવાળીના પાંચ દિવસીય તહેવારોની જ વાત કરીએ. ધાર્મિક કારણ જે પણ હોય પરંતુ મનોવૈજ્ઞાનિક રીતે જોઈએ તો વર્ષભર એકસરખા રોજીંદા કાર્યો કરીને થાકી–કંટાળી ગયેલ માણસને કંઇક ‘ચેઈન્જ’ મળે, તે માટે વર્ષાન્તે પર્વો અને ઊજવણીઓનું આયોજન કરવું જરૂરી છે. જેથી નવા વર્ષમાં લોકો વધુ ઉમંગ, ઉલ્લાસ અને તાજગીપૂર્વક પોતાનું કામકાજ શરૂ કરી શકે. આ તહેવારોમાં ઘેર-ઘેર સફાઈ અને રોશની કરવા પાછળનો આશય સ્વાસ્થ્ય જાળવણી તો છે જ પરંતુ સાથે જ સફાઈના સાધનો વેચનાર કે કોડિયાં-ફૂલ-હાર-તોરણ જેવી સુશોભનની વસ્તુઓ વેચનારા, રંગરોગાન કે પસ્તી-ભંગારવાળા સહીત નાના-મોટા કેટલાય ધંધાર્થીઓના જીવનમાં આર્થિક રંગત પૂરે છે. (એક વિનંતી - તહેવારોની ઊજવણીમાં સસ્તી વિદેશી વસ્તુઓ વાપરવાને બદલે આ લોકો પાસેથી ખરીદવી, ભલે બે પૈસા મોંઘી પડે.)
આ માસ દરમ્યાન આવતા મહામાનવોના જન્મદિવસની વાત કરીએ તો, બીજી ઓક્ટોબર એટલે આખા વિશ્વની સામે સત્ય અને અહિંસાની શક્તિ ઉજાગર કરનાર મહાત્મા ગાંધીજીની ૧૪૮મી તેમજ દેશના બીજા વડાપ્રધાન લાલબહાદુર શાસ્ત્રીની ૧૧૩મી જન્મ જયંતી. અંગ્રેજ સરકારના દમનથી કચડાયેલ ભારતીય જનમાનસમાં સ્વતંત્રતાની જ્યોત જગાવનાર અને ખાદી જેવા સ્વદેશી ઉત્પાદનો અંગે જાગૃતિ ફેલાવનાર મહામાનવ મોહનદાસ અને દેશના સીમાડાઓની રક્ષા કરવા માટે દુશ્મનો સામે બહાદુરીથી લડતા સૈનિકો તેમજ જગતને જીવાડવા માટે ધૂળમાંથી ધાન પેદા કરતા ખેડૂતોની મહત્તાનું સમાજમાં પુનઃસ્થાપન થાય તે માટે ‘જય જવાન જય કિસાન’નું સુત્ર આપનાર તત્કાલીન વડાપ્રધાન લાલબહાદુર શાસ્ત્રી ખરા અર્થમાં જનનેતા હતા. આ મહિનાનો છેલ્લો દિવસ ૩૧મી ઓક્ટોબર એટલે ગુજરાતના પનોતા પુત્ર અને સમસ્ત દેશને એકતાના સૂત્રે બાંધવાનું ભગીરથ કાર્ય કરનાર લોખંડી પુરૂષ સરદાર પટેલની ૧૪૨મી જન્મ જયંતી. ખરા ખેડૂતનેતા તરીકે તેમણે કહેલા શબ્દો: ‘જેટલું કષ્ટ ખેડૂત સહન કરે છે, તેટલું તો કોઈ સહન નથી કરતું. જ્યાં ખેડૂત સુખી નથી, તે રાજ્ય પણ સુખી નથી.’ એ આજે પણ યથાર્થ છે.
મિત્રો, આ તહેવારોની મોસમમાં આપણી આસપાસ વસતા લોકોના જીવનમાં આપણા દ્વારા આનંદનો ઉજાસ છવાય તેવા પ્રયત્નો ચોક્કસ કરીએ. આપ સૌ વાચક મિત્રો, ખૂબ જ પ્રસન્ન, સમૃદ્ધ અને સુરક્ષિત રહો તેવી આ દિવાળી અને વિક્રમ સંવત ૨૦૭૪ના નવા વર્ષની શુભકામનાઓ સાથે... ચાલો, રાષ્ટ્રને હરિયાળા વિકાસની ખુશહાલીનો ઉલ્લાસ મળે તે માટે સમૃદ્ધ ખેતીના માર્ગ પર જઈએ.

શુભ દીપાવલી અને નૂતન વર્ષાભિનંદન

Wednesday, 20 September 2017

शेर और गिलहरी

एक गिलहरी रोज अपने काम पर समय से आती थी और अपना काम पूरी मेहनत और ईमानदारी से करती थी गिलहरी जरुरत से ज्यादा काम कर के भी खूब खुश थीक्यों कि उसके मालिक, जंगल के राजा शेर ने उसे दस बोरी अखरोट देने का वादा कर रखा था
गिलहरी काम करते करते थक जाती थी तो सोचती थी, कि थोडी आराम कर लूँ, वैसे ही उसे याद आता कि शेर उसे दस बोरी अखरोट देगागिलहरी फिर काम पर लग जातीगिलहरी जब दूसरे गिलहरीयों को खेलते देखती थी, तो उसकी भी इच्छा होती थी कि मैं भी खेलूं, पर उसे अखरोट याद आ जाता, और वो फिर काम पर लग जातीऐसा नहीं कि शेर उसे अखरोट नहीं देना चाहता था, शेर बहुत ईमानदार था |

ऐसे ही समय बीतता रहा...
एक दिन ऐसा भी आया जब जंगल के राजा शेर ने गिलहरी को दस बोरी अखरोट दे कर आज़ाद कर दियागिलहरी अखरोट के पास बैठ कर सोचने लगी कि अब अखरोट मेरे किस काम के पूरी जिन्दगी काम करते - करते दाँत तो घिस गये, इन्हें खाऊँगी कैसे |

यह कहानी आज जीवन की हकीकत बन चुकी है |
इन्सान अपनी इच्छाओं का त्याग करता है, पूरी ज़िन्दगी नौकरी, व्योपार, और धन कमाने में बिता देता है60 वर्ष की उम्र में जब वो सेवा निवृत्त होता है, तो उसे उसका जो फन्ड मिलता है, या बैंक बैलेंस होता है, तो उसे भोगने की क्षमता खो चुका होता हैतब तक जनरेशन बदल चुकी होती है, परिवार को चलाने वाले बच्चे आ जाते है |

क्या इन बच्चों को इस बात का अन्दाजा लग पायेगा की इस फन्ड, इस बैंक बैलेंस के लिये :
                कितनी इच्छायें मरी होंगी ?
                कितनी तकलीफें मिली होंगी ?
                कितनें सपनें अधूरे रहे होंगे ?
क्या फायदा ऐसे फन्ड का, बैंक बैलेंस का, जिसे पाने के लिये पूरी ज़िन्दगी लग जाये और मानव उसका भोग खुद न कर सकेइस धरती पर कोई ऐसा अमीर अभी तक पैदा नहीं हुआ जो बीते हुए समय को खरीद सकेइस लिए हर पल को खुश होकर जियो व्यस्त रहो, पर साथ में मस्त रहो सदा स्वस्थ रहो !!

मौज लो, रोज लो, नहीं मिले तो खोज लो !

BUSY  पर BE-EASY  भी रहो !!!

Thursday, 14 September 2017

हिंदी दिवस


14 सितंबर 1949 को हिंदी भाषा को राज भाषा का दर्जा मिलने के बाद से हर साल 14 सितंबर के दिन को हम हिंदी दिवस के रूप में मनाते है। आज हम आपको हिंदी से जुड़े कुछ ऐसे तथ्यों के बारे में बताने जा रहे हैं जिनके बारे में आपने शायद पहले नहीं सुना होगा...
1. 1950 में हिंदी भाषा को भारत की आधिकारिक भाषा का दर्जा मिला था। 1954 में भारत सरकार ने हिंदी व्याकरण तैयार करने के लिए समिति का गठन किया।
2. भारत के बाहर, हिंदी बोलने वाले लोग संयुक्त राज्य अमेरिका में 648,983, मॉरीशस में 685,170, दक्षिण अफ्रीका में 890,292, यमन में 232,760, युगांडा में 147,000, सिंगापुर में 5,000, नेपाल में करीब 8 लाख, न्यूजीलैंड में 20,000, जर्मनी में 30,000 हैं। 20 से ज्यादा देशों में हिंदी भाषा का इस्तेमाल किया जाता है।
3. इंटरनेट पर 94% हिंदी की मांग
सात भाषाएं ऐसी हैं जिनका इस्तेमाल वेबएड्रस बनाने में किया जाता है, उनमें से हिंदी एक है। हिंदी की लोकप्रियता का अंदाजा आप इसी बात से लगा सकते हैं कि हर साल इंटरनेट पर हिंदी कंटेंट की मांग 94 फीसद बढ़ रही है।
4. दुनियाभर में हिंदी का इस्तेमाल
हिंदी सबसे ज्यादा बोले जाने वाली भाषाओ में से एक है। हिंदी का इस्तेमाल करीब 60 करोड़ लोग करते हैं।
5. 176 विश्वविद्यालयों में हिंदी की पढ़ाई
दुनिया के 176 विश्वविद्यालयों में हिंदी पढ़ाई जाती है, जिसमें से 45 विश्वविद्यालय अमेरिका के हैं। इतना ही नहीं विदेश में 25 से ज्यादा पत्र-पत्रिकाएं रोज हिंदी में निकलती हैं।
6. अंग्रेजी के ये शब्द लिए गए हिंदी से
गुरू, जंगल, कर्मा, योगा, बंगला, चीता, लूट, ठग और अवतार जैसे अंग्रेजी में जैसे प्रचलित शब्द हिंदी भाषा में लाए गए।
7. 1805 में प्रकाशित लल्लू लाल द्वारा लिखित श्रीकृष्ण पर आधारित किताब प्रेम सागर को हिन्दी में लिखी गई पहली किताब माना जाता है।
8. हिंदी को अपना नाम एक परसियन शब्द हिन्दू से मिला, जिसका मतलब है पवित्र नदी की भूमि। यह भी कहा जाता है कि सि़ंधु नदी के पास जो सभ्यता फैली उसे सिंधु सभ्यता और उस क्षेत्र के लोगों को हिन्दू कहा जाने लगा जो कि सिंधु शब्द से ही बना। और इनके द्वारा बोली जाने वाली भाषा हिंदी कहलाई।
9. सरकार ने संयुक्त राष्ट्र की आधिकारिक भाषाओं में हिंदी को शामिल कराने के लिए सालाना 250 करोड़ रुपये खर्च किए हैं।
10. बिहार वो पहला राज्य है जिसने हिंदी को अपनी आधिकारिक भाषा के तौर पर स्वीकार किया। साल 1881 तक बिहार की आधिकारिक भाषा उर्दू हुआ करती थी जिसके स्थान पर हिंदी को अपनाया गया।

Wednesday, 6 September 2017

માનસિકતાનો વિકાસ

મિત્રો, જે લોકોને નિયમિત રૂપે અખબારો કે પત્રિકાઓમાં ખાસ કરીને કૃષિલક્ષી સમાચારો વાંચવાની ટેવ હશે તેઓ જાણતા જ હશે કે ખ્યાતનામ સર્વે એજન્સીઓ દ્વારા થતી મોજણી મુજબ દેશના જી.ડી.પી.માં કૃષિ ક્ષેત્રનું યોગદાન વર્ષ ૨૦૦૪-૫ થી લઇને આજ દિન સુધી અભૂતપૂર્વ રીતે સરેરાશ ૯ ટકાના દરે વધી રહ્યું છે. પરંતુ ખેડૂતોની આર્થિક સ્થિતિમાં જોઈએ તો આજે પણ ખાસ સુધારો થયો હોય તેવું છાતી ઠોકીને કહી શકાતું નથી. સતત સંશોધન પામતા નવા બિયારણો અને ખાતરો, નવીનવી ખેતી પદ્ધતિઓ, કેટકેટલી સરકારી યોજનાઓ વગેરેથી ખેતીના ટર્નઓવરનો આંકડો ચોક્કસ મોટો થતો ગયો છે, પરંતુ ગામડામાં વસતા છેવાડાના ખેડૂતની આવકની રકમમાં એકડા પાછળ કેટલા નવા મીંડા ઉમેરાયા તે સવાલ કોઈ યક્ષપ્રશ્નથી કામ નથી.
આપણા દેશમાં જાહેર થતા રાષ્ટ્રીય વિકાસ દરની જેમ જ વિશ્વના કેટલાક દેશોમાં રાષ્ટ્રીય સુખાકારી આંક પણ જાહેર કરવામાં આવતો હોય છે. જેના પરથી જાણી શકાય કે તે દેશો સામાન્ય નાગરિક કેટલો સુખી છે. શું આપણા ગામડાઓમાં રહેતા લોકો આજે ખરેખર ખુશ છે ? આજે ભલે ગામડાઓમાં ટી.વી., ફ્રીજ, વોશિંગ મશીન, ઇન્ટરનેટ પહોંચી ગયા હોય પણ જનસામાન્યના સુખાકારી આંકમાં ઘટાડો આવ્યો છે તેવું ન માનવા માટે કોઈ નક્કર કારણ દેખાતું નથી. તેમાં માત્ર સરકાર કે માત્ર ખેડૂત વર્ગ જ જવાબદાર નથી. પરંતુ ૨૧ મી સદીના માણસની માનસિકતા જ સમગ્રતયા કારણભૂત છે. સરકાર પણ આખરે તો આપણામાંથી જ ચૂંટાયેલા લોકોની બનેલી હોય છે ને !!
વાત કોઈની ઉપર દોષનો ટોપલો ઢોળી દેવાથી પૂરી નથી થઇ જતી. જરૂર છે સ્વયંની માનસિકતાને સુધારવાની શરૂઆત કરવાની. ‘સર્વે ભવન્તુ સુખિનઃ અને ‘બહુજનહિતાય બહુજનસુખાય’ના વેદવાક્ય પરથી બોધ લઈને, માત્ર મારો જ વિકાસ થાય એવું સ્વાર્થી વલણ છોડી, મારી સાથે મારા પરિવારનો, ગામનો, રાજ્યનો, દેશનો અને અંતે સમગ્ર વિશ્વના લોકોની માનસિકતાનો વિકાસ થાય એવી ભાવના સાથે કાર્ય કરવાની શરૂઆત કરીએ. આપણા ભાગે જે કામ આવ્યું હોય તે માટે બસ, આ મારું જે કામ છે અને તે મારે પૂરી નિષ્ઠાથી કરવાનું જ છે... આ વાક્યને વેદવાક્ય માની લઈએ. ગામના તલાટીમંત્રીથી માંડીને દેશના પ્રધાનમંત્રી સુધી વચ્ચે આવતા તમામ અધિકારીઓ, કર્મચારીઓ, નેતાઓ, પોલીસ, પત્રકારો, વિવિધ વ્યવસાયીઓ તથા દરેક નાગરીકો વગેરે આપણે સૌ એક નાનકડી શરૂઆત કરીએ તો જી.ડી.પી. જેવા આંકની ગતિને ક્યાંય પાછળ છોડી દઈશું.
મિત્રો, આ માસ દરમ્યાન એવા અનેક પર્વ-પ્રસંગો આવી રહ્યા છે કે જેની ઉજવણી થકી આપણે સહુ પોતાના બીબાંઢાળ જીવનમાં થોડી તાજગીની ક્ષણો ઉમેરી શકીએ. જેમકે આપણને સાક્ષર બનાવનાર શિક્ષકોને પ્રેમથી સ્મરવાનું જ્ઞાનપર્વ શિક્ષક દિવસ (૫ સપ્ટેમ્બર), આપણા પૂર્વજોના સ્મરણ-પૂજાનું પિતૃપર્વ શ્રાદ્ધપક્ષ (૬ થી ૨૦ સપ્ટેમ્બર), દૈવીની નૃત્યઆરાધના વડે જીવન ચેતનાની ઊર્જા જગાડતું શક્તિપર્વ નવરાત્રી (૨૧ થી ૨૯ સપ્ટેમ્બર) અને અસત્ય પર સત્યના વિજયનું જયપર્વ એટલે કે વિજયા દશમી (૩૦ સપ્ટેમ્બર) વગેરે. આ તમામ પર્વ-પ્રસંગો માટે સમૃદ્ધ ખેતી પરિવારની શુભકામનાઓ સાથે...

Friday, 1 September 2017

શુકન-અપશુકન

જરૂર વાંચજો , તમારો શુકન-અપશુકનનો ખ્યાલ બદલાઈ જશે...

સંધ્યાકાળે કચરો ઘરની બહાર ન કઢાય :
જુના કાળમાં ઈલેક્ટ્રિસિટિ ન હતી. સૂર્યાસ્ત બાદ દીવો કે ફાનસના અપૂરતા પ્રકાશમાં કામ ચલાવવાનું રહેતું. આથી બનતું એવું કે દિવસ દરમિયાન કામ કરતા-કરતા અજાણતા કોઈ અમૂલ્ય ચીજ-વસ્તુ હાથમાંથી જમીન પર પડી ગઈ હોય ને સંધ્યા ટાણે મંદ અંધકારની સ્થિતિમાં એ વસ્તુ કચરા સાથે ઘરની બહાર જતી રહે તો કોઈને એની જાણ ન થાય. આથી એ સમયના વડીલો કહેતા કે સંધ્યાકાળે કચરો કાઢવાથી લક્ષ્મી ઘરમાંથી ચાલી જાય છે. આજે તો ઘર-ઘરમાં રાત્રે પૂરતો પ્રકાશ મળી રહે છે તેથી કોઈ વસ્તુ કચરા સાથે ઘર બહાર નિકળી જાય એવો ડર રહેતો નથી. છતાં દિવસ જેવો ઉજાસ તો ઉપલબ્ધ નથી જ. માટે રાત્રે કચરો વાળી શકાય પરંતુ ચોકસાઈ તો રાખવી જ પડે.

શનિવારે માથામાં તેલ ન નખાય :
અંગ્રેજોના શાસનકાળ દરમિયાન રવિવાર રજાનો દિવસ જાહેર થયો હતો. આથી માથુ ધોવા માટે રવિવારે જ સમય મળતો. હવે રવિવારે માથુ ધોવાનું હોય તો માથામાં બહુ ચિકાશ ન હોય તો સરળતાથી માથાના વાળમાં રહેલો મેલ કાઢી શકાય. કારણ કે એ સમયે ચિકાશ કાઢવા માટે અદ્યતન સાબુ-શેમ્પૂ ઉપલબ્ધ ન હતા. માટે લોકો સમજીને શનિવારથી જ માથુ કોરું રાખતા. આ વાત ન માને તો ‘ધરમ ’નો ડર બતાવી કોઈને કાબુમાં લેવાનું સરળ હતું. આથી કહી દેવાતું કે શનિવાર હનુમાનજીનો વાર હોવાથી માત્ર હનુમાનજીને તેલ ચઢે, આપણે માથામાંતેલ નાંખવાનું નહિ.
એ જ રીતે નખ કાપવા માટે, બુટ ખરીદવા માટે, દાઢી સાફ કરવા માટે, વાળ કપાવવા માટે રવિવારની રજા બહુ કામમાં આવતી. શનિવારે આ બધું ન થાય એની પાછળ કોઈ વિજ્ઞાન નથી. રવિવારની રજાના દિવસે મોટા ભાગના લોકો વાળ કપાવવાનું તેમજ દાઢી સાફ કરાવવાનું રાખતા હોવાથી એ દિવસે વાળંદ રજા તો ન જ રાખી શકે ઉલ્ટાનું એને રવિવારે ઓવરટાઈમ કરવો પડે. આથી આગલા દિવસે શનિવારે એ રજા ભોગવી લે તો રવિવારે પુરી સ્ફૂર્તિથી કામ કરી શકે એ માટે વાળંદ માટે શનિવારે રજા નક્કી થઈ હશે.

એના પગલા ખરાબ છે :
દિકરાને પરણાવીને વહુને ઘરે લાવ્યા બાદ ઘરમાં કોઈ અમંગળ ઘટના બને તો વહુના પગલાને ખરાબ ગણીને એને દોષ આપવામાં આવે છે. નવા પરણેલા દિકરાની નોકરી છુટી જાય, કોઈ ઘરમાં માંદુ પડે, કોઈનું અવસાન થાય વગેરે પૈકી કોઈ ઘટના બને તો એમાં વહુનો શું દોષ? પરંતુ આવા મનઘડંત કારણ-પરિણામના સંબંધો જોડી દેવાની માનસિક નબળાઈ મોટા ભાગના પરિવારોમાં જોવા મળે છે. એ જ રીતે દિકરીનો જન્મ થયા બાદ ઘર પર કોઈ આપત્તિ આવે તો એના પગલાને ખરાબ ગણવામાં આવે છે. રામના સીતા સાથે લગ્ન થયા બાદ રામની રાજગાદી છીનવાઈ ગઈ, તેઓને ચૌદ વર્ષનો વનવાસ થયો એટલું જ નહિ, બધું જ વ્યવસ્થિત ચાલતું હતું, રામ પુન: રાજ્યસિંહાસન આરૂઢ થયા હતા , સીતા સાથે પ્રણયમગ્ન હતા તેવામાં સીતાનો પ્રસુતિકાળ નજીક આવ્યો, રામના બે પુત્રો લવ-કુશના જન્મનો સમય થયો ત્યાં તો સીતાનો સર્વદા ત્યાગ કરવાનો કપરો નિર્ણય રામને કરવાનો થયો. ચૌદ વર્ષનો ઘોર કષ્ટદાયક સમય પુરો થયા બાદ પણ રામ સુખપૂર્વક દામ્પત્યજીવન માણી શક્યા નહિ તો શું રામ સીતાને, લવ-કુશના આગમનને દુર્ભાગ્યપૂર્ણ ગણશે ?

કોઈ બહાર જતું હોય તો ‘ક્યાં જાઓ છો’ એમ નહિ પૂછવાનું :
ઘણાં પરિવારોમાં તો આ રિવાજ એટલો બધો જડ બેસલાક હોય છે કે ભુલમાં કોઈ બાળક , ‘ક્યાં જાઓ છો?’ એવું પૂછી લે તો બહાર જનાર તથા ઘરના સભ્યો ખુબ નારાજ થઈ જાય છે. આની પાછળની સમજણ એવી છે કે કોઈના અંગત મામલામાં વધુ પડતી જિજ્ઞાસા રાખવી અસભ્ય ગણાય. બાકી શુકન –અપશુકન જેવું કંઈ હોતું નથી.

ઉલ્ટા પડેલા ચંપલ :
કોઈ કોઈ ઘરના કમ્પાઉંડમાં પ્રવેશતા જ ચંપલ કે બુટ ઉંધુ પડેલું જોવા મળે તો એને અપશુકન ગણવામાં આવે છે. વાસ્તવમાં ઘરના સભ્યો બિનજવાબદાર ગણાય કારણ કે જુએ  છે બધાં જ પરંતુ કોઈ એને સીધું કરવાનું સમજતા નથી. આ ઘટનાને અપશુકન સાથે શું લેવાદેવા ? એ જ રીતે કોઈ જમીન પર પગ ઘસડીને ચાલતુ હોય કે પછી પલંગમાં બેસીને લબડતા પગ હલાવ્યા કરે તો એને કહેવાય છે કે આ રીતે કરવાથી ઘરમાંથી લક્ષ્મી ચાલી જાય છે. વાસ્તવમાં આ બધી અસભ્યતાની નિશાનીઓ છે જે વ્યક્તિને પ્રેમથી સમજાવવાથી દૂર થઈ શકે છે. પરંતુ બધાએ માની લીધું છે કે આર્થિક નુક્શાનના ડરથી જ બધા સીધા ચાલે છે આથી કોઈ પણ ખોટી આદત છોડાવવા માટે લાગલું જ ‘ લક્ષ્મી ચાલી જશે’ એમ કહેવાય છે.

બિલાડી આડી ઉતરે છે :
આવા અપશુકનમાં વિશ્વાસ રાખનારા વાહિયાત છે. બીજું શું ?માણસ બિલાડીને આડો ઉતરે ને એનો દિવસ ખરાબ જાય તો એ કોને ફરિયાદ કરશે ? ઘણા કહે છે: ‘આજે સવારે મેં કોનો ચહેરો જોયો હતો ? મારો આખો દિવસ ખરાબ ગયો.’અરીસામાં જ જોયું હોય ને ભાઈ તેં ! ચાલતા હાથે-પગે વાગે તો કહેશે ‘ કોઈ મને ગાળ દઈ રહ્યું છે.’ હેડકી આવે અથવા ખાતા-ખાતા અંતરસ આવે તો કહે, ‘મને કોઈ બહુ યાદ કરે છે.’ ભ’ઈ તારા લેણિયાતો સિવાય તને કોઈ યાદ કરે એમ નથી !

એક છીંક આવે તો ‘ ના’ અને બે છીંક આવે તો ‘હા’ :
કોઈ કામ કરવાનું શરૂ કરો, ક્યાંય બહાર જવા નિકળો ને એક છીંક આવે તો રોકાઈ જવાનું અને થોડી વાર રહીને કામ કરવાનું. બે છીંક આવે તો તમારા કાર્યને કુદરતનું સમર્થન છે એમ માનીને એ કામ દૃઢતાથી કરવાનું. મારો એક મિત્ર તો પોતાનું વાહન ડાબી બાજુ વાળતો હોય ને એક છીંક આવે તો જમણી બાજુ વાળી લે. આ છીંકને શુકન-અપશુકન સાથે કોઈ સંબંધ ખરો ?

મુહૂર્ત જોવડાવવામાં આવે છે :
કૃષ્ણ મુહૂર્ત જોઈને દુર્યોધન સાથે વિષ્ટી (સંધિ) કરવા હસ્તિનાપુર ગયા હતા. છતાં એમણે કહ્યું હતું કે ‘હું જાઉં છું માટે જ વિષ્ટિ સફળ નહિ થાય. અલબત્ત મારા સઘન પ્રયાસો હશે જ વિષ્ટિને સફળ બનાવવા માટેના !’ ગૃહપ્રવેશ, રાજ્યાભિષેક ,લગ્ન વગેરે મુહૂર્ત જોવડાવીને થાય છે. એની પાછળનું રહસ્ય પ્રકૃતિનો સાથ લેવાનો આશય છે. આપણે ત્યાં વર્ષાઋતુમાં એક પણ લગ્નનું મુહૂર્ત હોતું નથી. કારણ શું ? વરસાદમાં બધાને અગવડ પડે છે. અરે, તીર્થયાત્રીઓ ચાર માસ સુધી પોતાની તીર્થયાત્રા અટકાવી દે છે.

વસંતપંચમી તેમજ અખાત્રીજનું વણજોયું મુહૂર્ત ગણાય છે કારણ કે એ સમયે પ્રકૃતિ સદાય સોળ કળાએ ખીલેલી હોય છે.

કોઈ પણ વ્યક્તિ ધન અને કીર્તિ કમાય એટલે એ માનસિક રીતે એટલો બધો નબળો થઈ જાય છે કે શુકન-અપશુકનના રવાડે ચઢી જ જાય છે. રાજકારણીઓ, રમતવીરો, ફિલ્મસર્જકો ,  હીરો-હીરોઈનો બધાને આ વાત એક સરખી લાગુ પડે છે. અમુક જગ્યાની મુલાકાત લેનાર મુખ્યમંત્રી પોતાનું પદ ગુમાવે છે, ફિલ્મના નામના સ્પેલિંગમાં અમુક અક્ષર બેવડાવવાથી ફિલ્મ સફળ થશે, ચોક્કો કે છક્કો વાગે એટલે તાવીજ ચુમવું, સદી વાગે એટલે જમીન ચુમવી, પોતાનું બેટ ન બદલવું, નંગની વીંટીઓ, ગળામાં પેંડંટ વગેરે મનોરોગની નિશાનીઓ છે. એમાંથી કોણ બચ્યું છે ? જ્યોતિર્વૈદ્યૌ નિરંતરૌ. એટલે કે જ્યોતિષી અને વૈદ્ય સદાય કમાવાના જ ! એમના ધંધામાં ક્યારેય મંદિ આવવાની જ નહિ ! કારણ કે હંમેશા શારીરિક અને માનસિક રીતે નબળા માણસો સમાજમાં હોવાના જ !

આત્મવિશ્વાસથી ભરપૂર માણસ શુકન-અપશુકન પર આધારિત રહેતો નથી. પોતાના બાહુબળના આધારે એ અશક્યને શક્ય કરી શકે છે.

“‘ ન કરતો ભાગ્યની પરવા હું ખુદ એને ઘડી લઉં છું,
ગ્રહો વાંકા પડે તો એને સીધા ગોઠવી દઉં છું.” 

આત્મવિશ્વાસની સાથે-સાથે ઈશવિશ્વાસ આવશ્યક છે. માનવ પ્રયત્ન અને ઈશકૃપાથી બધું જ સંભવ છે.

Via whatsapp

Wednesday, 30 August 2017

शतम् जीव शरदः


વર્ષાની વિદાય અને શરદનુ આગમન એટલે ભાદરવો. દિવસે ધોમ ધખે અને મોડી રાત્રે આછુ ઓઢીને સુવુ પડે એવો ઠાર પડે. આયુર્વેદાચાર્યો કહી ગયા છે કે વર્ષામા પિત્તનો સંગ્રહ થાય અને શરદમા તે પિત્ત પ્રકોપે. આ પ્રકોપવુ એટલે તાવ. આચાર્યોએ શરદને રોગોની માતા કહી છે - रोगाणाम् शारदी माता. એને 'યમની દાઢ' પણ કહી છે .

ભાદરવાના તાપ અને તાવથી બચવા ત્રણ-ચાર ઘરગથ્થુ પ્રયોગો 
  • ભાદરવાના ત્રીસે દિવસ રોજ રાત્રે જમ્યા પછી સુદર્શન/મહાસુદર્શન ઘનવટી - ૨-૩ ટીક્ડી ચાવીને પાણી સાથે (ત્રણ કલાકથી વહેલી નહી, પછી જ).
  • જો ભાવે તો ભાદરવાના ત્રીસે દિવસ દુધ-ચોખા-સાકરની ખીર અથવા દુધ-પૌવા ખાવુ. ગળ્યુ દુધ એ વકરેલા પિત્તનુ જાની દુશ્મન છે. આ હેતુથી જ શ્રાદ્ધપક્ષમાં ખીર બનાવવાનુ આયોજન થયુ હતુ.
  • જેની છાલ પર કથ્થાઇ/કાળા ડાઘ હોય એવા પાકલ કેળાને છુંદીને એમા સાકર ઉમેરી બપોરે જમવા સાથે ખાવા. જો ઇચ્છા હોય તો ઘી પણ ઉમેરવુ. પણ કેળા સાથે ઘી પાચનમા ભારે થાય. એટલે જો ઘી ઉમેરો, તો પછી બે-ત્રણ એલચી વાટીને ઉમેરી દેવી. પાચન સહેલુ થાશે. એવુ કોઇક જ હોય જેને સાકર-કેળા-ઘીનુ મિશ્રણ રોટલી સાથે ન ફાવે. 
  • ખીર અને કેળા - બન્નેનો પ્રયોગ કરવો હોય તો કેળા બપોરે અને ખીર સાંજે એમ ગોઠવવુ).
  • ભુલેચુકે ખાટી છાશ ન જ પીવી. ખુબ વલોવેલી, સાવ મોળી છાશ લેવી હોય તો ક્યારેક લેવાય.
  • ઠંડા પહોરે (વહેલી સવારે કે સાંજે) પરસેવો વળે એટલુ ચાલવુ. (ઠંડી અને ચાંદની રાતમાં રાસગરબા ના આયોજન પાછળનુ રહસ્ય આ જ હતુ - પરસેવો પડે)

 આપણામા એક આશિર્વાદ પ્રચલીત હતો - शतम् जीव शरदः એટલે કે આવી સો શરદ સુખરુપ જીવી જાઓ. આપને પણ આ અને આવતી સો શરદ ઋતુમાં સ્વાસ્થ્ય લાભની શુભેચ્છા...

Tuesday, 29 August 2017

ફેસીસ ઓફ રાજકોટ

Faces Of Rajkot 
#319
તમને નથી લાગતું કે જીવન ક્યારેક કિસ્મત થી ચાલે છે, એકલા મગજ થી ચાલતુ હોત તો અકબર ની જગ્યાએ બીરબલ રાજા હોત !! કંઈક એવી જ વાત છે નરેન્દ્ર વાઘેલાની.
93' ની સાલમાં રેલવેમાં ટી.ટી. ની પરીક્ષા પાસ કરી અને મુંબઈ ઇન્ટરવ્યૂ માટે ગયો. ત્યાં ઇન્ટરવ્યૂ પાસ કર્યું પણ આપણા બધા ડોકયુમેન્ટ્સ તો ગુજરાતીમાં હોય, એટલે એમણે કીધું કે આ ડોકયુમેન્ટ્સ અંગ્રેજી અથવા તો હિન્દીમાં ટ્રાન્સલેટ કરીને 15 દિવસની અંદર મોકલો એટલે નોકરી નો નિમણુંક પત્ર મોકલી આપશું. આપણે તો ભાઈ ખુશ થતા રાજકોટ આવ્યા અને બધા કાગળિયા તૈયાર કરીને પોસ્ટ કર્યા, પણ, નસીબ !! બીજા દિવસે પોસ્ટ ખાતાની દેશવ્યાપી હડતાલ થઇ જે 15 દિવસ ચાલી અને મારા ડોક્યુમેન્ટ્સ સમયસર ના પહોંચ્યા. નોકરી હાથમાંથી ગઈ અને જાણે નસીબ થપ્પડ મારીને ભાગી ગયું હોય એવી શૂળ જેવી પીડા થઇ.

નાનપણમાં સામાજિક અને આર્થિક પછાત વિસ્તારમાં રહેતા હોવાથી માં બાપને થયું કે છોકરો કોઈ ખરાબ સંગત માં પડે એના કરતા કંઈક કરે એ સારું એમ વિચારીને એક ડોક્ટરને ત્યાં કામે લગાડી દીધો. બપોરે નિશાળેથી આવીને ડોક્ટર સાહેબના દવાખાનામાં મદદ કરતો. ભણવામાં હંમેશા અવ્વલ નંબર આવતો પણ માબાપને આર્થિક પરિસ્થિતિ ના હોવાથી નિશાળ 1995 માં બારમા ધોરણ પછી છૂટી ગઈ. એ બંને કારખાનામાં મજૂરીએ જતાં.
એક સ્કૂલમાં નોકરી મળી અને સખત મેહનત કરી પણ એક વાર એક મિટિંગમાં ટ્રસ્ટીઓને કોઈ વાત પર સૂચન આપ્યું તો એમણે રોકડું પરખાવી દીધું કે ડિગ્રી વિનાના માણસોને શું સમજ પડે ! સાહેબ, હાડોહાડ લાગી આવ્યું અને સવિનય નોકરી છોડી ને 10 વર્ષ પછી 2005 માં ફરીથી ભણવાનું શરુ કરી સ્નાતક થયો. અને બીજા દસ વર્ષ બાદ સમય મળતા 2015માં પત્રકારત્વમાં માસ્ટર ડિગ્રી કરી. હાલ દૂરદર્શનમાં "હેલો કૃષિદર્શન" કાર્યક્રમમાં છેલ્લા ૬ વર્ષથી એંકરિંગ કરું છું. જેમાં ખેડૂત મિત્રો ફોન પર લાઈવ સવાલો કરે અને એક્સપર્ટ લોકો દ્વારા માહિતી પુરી પાડવામાં આવે છે.
એક પમ્પ બનાવતી ફેકટરીમાં જોબ મળી અને ત્યાં રેગ્યુલર કામ ની સાથે ખેતી વિષયક માહિતી આપતું એક મેગઝીન શરુ કર્યું. મારી મેહનત અને લગન રંગ લાવી. ખુબ જ પ્રયાસો કરીને માહિતી મેળવીને પ્રકાશિત કરી. જેમ કે, વર્ટિકલ ફાર્મિંગ, હાઇડ્રોપોનિક્સ, ગ્રીન રૂફ ટેકનોલોજી, બાયો ટેકનોલોજી વગેરે જે બહુ જ ક્રાંતિકારી ખેતીનો પ્રકાર છે એ માહિતી સાદી – સરળ ગુજરાતીમાં ખેડૂતોને પહોંચાડી.
આ તો થયું કોઈ બીજા માટે... પણ આખરે નોકરી એ નોકરી... પણ પછી થયું મારુ કોઈ મેગઝીન કેમ ના કરું? ઓગસ્ટ-2013 માં શરું થયેલ મારું "સમૃદ્ધ ખેતી" નામનું મેગેઝીન આજે પંદર હજાર ના સર્ક્યુલેશન સાથે ખેતીનું અવ્વલ નંબરનું સામાયિક બની ગયું છે. ખેડૂતો સાથે એમની ભાષામાં વાત કરતુ સામાયિક આજે 5માં વર્ષમાં પ્રવેશ કરી ચૂક્યું છે. ખેડૂતો પોતાના વિચારો એમાં લખે, માહિતીની આપ-લે થાય. એક તંત્રી તરીકે મારા મેગેજીનમાં લખતા કૃષિ પત્રકારોને કોઈથી ડર્યા વગર ખુલ્લું સત્ય લખવાની છૂટ આપેલી છે. અત્યાર સુધીના કેન્દ્રીય કૃષિ મંત્રીઓનું લિસ્ટ જે ભારત સરકારની વેબ સાઈટ પર પણ નહોતું, જે મેં માહિતી એકત્રિત કરીને બહાર પાડ્યું,
ક્યારેય વાડી-ખેતર તો ઠીક પણ ઘરના આંગણે પાંચ-દસ છોડ ઉગે તેટલી જગ્યા નહોતી.... પણ આજે ગુજરાતનાં અને દેશના ખેડૂતો માટે કાર્યરત છું. મારી ટીમ સાથે ખેડૂત મિત્રોને પાક, જીવાત, ટેકાના ભાવ, વેજ્ઞાનિક ખેતી, ટેક્નોલોજી અને બીજી અનેક બાબતો માટે સૂચનો પુરા પાડું છું. તેમજ આ મેગઝીન ઉપરાંત, વોટ્સઅપ ગ્રુપ, ઓનલાઇન માહિતી અને હેલ્પલાઇન પણ પુરી પાડું છું.
કૂખ કુંતીની જ કારણ દેહનું તોયે છતાં,
પાર્થમાં ગણના તમારી ને અમારી કર્ણમાં.
- અશોક ચાવડા 'બેદીલ'

Tuesday, 22 August 2017

मैं जाग गया..!

कल रात मैंने एक "सपना"  देखा कि मेरी मौत हो गई...!!!

जीवन में कुछ अच्छे कर्म किये होंगे इसलिये यमराज मुझे स्वर्ग में ले गये...
देवराज इंद्र ने  मुस्कुराकर मेरा स्वागत किया...

मेरे हाथ में थैला देखकर पूछने लगे, ''इसमें क्या है..?"
मैंने कहा, ''इसमें मेरे जीवन भर की कमाई है, पांच करोड़ रूपये हैं ।"

इन्द्र ने मुज़े  न.वा.०५०५१९७८  नम्बर के लोकर की ओर  इशारा करते हुए कहा- ''आपकी अमानत इसमें रख दीजिये..!''
मैंने थैला उस लोकर में रख दीया...

मुझे एक कमरा भी दिया, जहां नहा-धोके तैयार होकर में स्वर्ग के बाज़ार में निकला...

देवलोक के शोपिंग मॉल मे अदभूत वस्तुएं देखकर मेरा मन ललचा गया..!
मैंने कुछ चीजें पसन्द करके एक ट्रोली में डाली और काउंटर पर जाकर
उन्हें हजार हजार के करारे नोटें देने लगा...

वहा के मेनेजर ने नोटों को देखकर कहा, ''यह नोट यहाँ नहीं चलती..!''
यह सुनकर मैं हैरान रह गया..!

मैंने इंद्र के पास जाकर इसकी शिकायत की...
इंद्र ने मुस्कुराते हुए कहा कि, ''आप व्यापारी होकर  इतना भी नहीं जानते..?
कि आपकी करेंसी आपके बाजु के मुल्क पाकिस्तान,  श्रीलंका  और बांगलादेश में भी
 नही चलती... और आप मृत्यूलोक की करेंसी स्वर्गलोक में चलाने की मूर्खता कर रहे हो..?''

यह सब सुनकर मुझे मानो साँप सूंघ गया..!
मैं जोर जोर से दहाड़े मारकर रोने लगा. और परमात्मा से दरखास्त करने लगा...

''हे भगवान्.. ये क्या हो गया.?''
''मैंने कितनी मेहनत से ये पैसा कमाया..!''
''दिन नही देखा, रात नही देखा, पैसा कमाया...!''

''माँ बाप की सेवा नही की, पैसा कमाया,
बच्चों की परवरीश नही की, पैसा कमाया....
पत्नी की सेहत की ओर ध्यान नही दिया, पैसा कमाया...!''

''रिश्तेदार, भाईबन्द, परिवार और यार दोस्तों से भी किसी तरह की
हमदर्दी न रखते हुए पैसा कमाया.!!"

''जीवन भर हाय पैसा, हाय पैसा किया...!
ना चैन से सोया, ना चैन से खाया...
बस,  जिंदगी भर पैसा कमाया.!''

''और यह सब व्यर्थ गया..?''
''हाय राम, अब क्या होगा..!''

इंद्र ने कहा,- ''रोने से कुछ हासिल होने वाला नहीं है.!! "
"जिन जिन लोगो ने यहाँ जितना भी पैसा लाया, सब रद्दी हो गया।"

"जमशेद जी टाटा के ५५ हजार करोड़ रूपये,
बिरला जी के ४७ हजार करोड़ रूपये,
धीरू भाई अम्बानी के ३० हजार करोड़ अमेरिकन डॉलर...!
सबका पैसा यहां लोकर में पड़ा है...!"

मैंने इंद्र से पूछा- "फिर यहां पर  कौनसी करेंसी चलती है..?"

इंद्र ने कहा- "धरती पर अगर कुछ अच्छे कर्म किये है क्या ...?!
...जैसे किसी दुखियारे को मदद की,
...किसी रोते हुए को हसाया,
...किसी गरीब बच्ची की शादी कर दी,
...किसी अनाथ बच्चे को पढ़ा लिखा कर काबिल बनाया...!
...किसी को व्यसनमुक्त किया...!
 ...किसी अपंग स्कुल, वृद्धाश्रम या मंदिरों में दान धर्म किया...वगैरा...वगैरा...
"ऐसे पूण्य कर्म करने वालों को यहाँ पर एक क्रेडिटकार्ड मिलता है...!
... और उसका उपयोग करके आप यहाँ स्वर्गीय सुख का उपभोग ले सकते है..!''

मैंने कहा, "भगवन.... मुझे यह पता नहीं था. इसलिए मैंने अपना जीवन व्यर्थ गँवा दिया.!!"
"हे प्रभु,  मुझे थोडा आयुष्य दीजिये..!''
और मैं गिड़गिड़ाने लगा.!

इंद्र को मुझ पर दया आ गई ! !  उन्होंने तथास्तु कहा... और मेरी नींद खुल गयी..!
मैं जाग गया..!
अब मैं वो दौलत कमाऊँगा जो वहाँ चलेगी..!!
--------------------------------------------------------------------------------------------------------------
नोट : रचना किसी और की है मैंने तो आप तक पहुंचाने में सिर्फ मेरी उंगलियों का इस्तेमाल किया है।  

Tuesday, 8 August 2017

પાંચમું પગથીયું

મિત્રો, સૌ પ્રથમ તો આપ સર્વે વાચકોએ છેલ્લા ચાર વર્ષથી અમને આપેલ ભરપૂર પ્રેમ, હુંફ, લાગણી, પ્રોત્સાહન, આશીર્વાદ, સૂચનો, મંતવ્યો વગેરે માટે સમગ્ર જી-વીન પરિવાર વતી હૃદયના ઊંડાણથી પ્રણામ. આજે જ્યારે આપણું ‘સમૃદ્ધ ખેતી’ પાંચમાં વર્ષમાં પ્રવેશી રહ્યું છે ત્યારે અમારા માટે એક અનુપમ અવસર આવ્યો છે કે અમે ‘સમૃદ્ધ ખેતી’ સાથે જોડાયેલ એ તમામ લોકોનું સ્મરણ કરીને, તેઓનો અંતઃકરણપૂર્વક આભાર માની શકીએ કે જેઓ પ્રત્યક્ષ અથવા અપ્રત્યક્ષ રીતે અમને અહી સુધી પહોંચાડવામાં મદદરૂપ થયા છે.

જેમાં વાત કરીએ કૃષિતીર્થ સમાન રાજ્યની ચારેય કૃષિ યુનીવર્સીટીઓ, તેમના સંશોધન કેન્દ્રો, વિવિધ કૃષિ મહાવિદ્યાલયો, કૃષિ વિજ્ઞાન કેન્દ્રો, આ સંસ્થાઓમાં રહી જાતજાતના કૃષિલક્ષી સંશોધનો કરતા કૃષિ વિજ્ઞાનીઓ અને અધિકારીઓની. અમે તેઓના આભારી છીએ કે તેમણે કૃષિ સંશોધનોની નવી માહિતી અને વિગતોને ખેડૂતો સુધી પહોંચાડવા માટે ‘સમૃદ્ધ ખેતી’ને માધ્યમ તરીકે પસંદ કર્યું છે. આ સાથે જ અમે આભારી છીએ એ સત્યનિષ્ઠ અધિકારીઓના કે જેઓ કૃષિ સંબંધિત સરકારી કચેરીઓમાં બેસીને ખરા અર્થમાં વિવિધ લોકકલ્યાણકારી કાર્યો કરી રહ્યાં છે. અને ખેડૂત સમાજના વિશાળ હિતમાં પ્રમાણભૂત માહિતી પ્રકાશિત કરવા માટે સમયાંતરે ‘સમૃદ્ધ ખેતી’માં મોકલે છે. તેમજ સમયાંતરે અમારું માર્ગદર્શન પણ કરે છે.
એક સામાન્ય નિયમ છે કે ક્યારેય ઘરના લોકોનો આભાર માનવાનો ન હોય. છતાં પણ આ પ્રસંગે ‘સમૃદ્ધ ખેતી’ના એ તમામ આદરણીય કટારલેખક મિત્રોને સલામ કરતા સ્વયંને રોકી શકતો નથી. જેઓ પોતાના વ્યાવસાયિક અને પારિવારિક વ્યસ્તતા વચ્ચે પણ સમય કાઢીને આપણા માટે જાણકારીના ખજાના સમાન અનુભવ લખાણો મોકલી રહ્યા છે. સાથોસાથ આ લેખક મિત્રોના પરિજનો પણ એટલા જ આદરમાનના અધિકારી છે કે તેઓ થોડીઘણી અગવડતા સહીને પણ આપણા લેખકોને વિચારવાની, લખવાની મોકળાશ આપી રહ્યા છે.
મિત્રો, માહિતી અને લેખો મળ્યા પછી જે લોકોની ભૂમિકા શરૂ થાય છે તેવા અમારા ડીઝાઈનર બંધુઓ, આવું સુંદર છાપકામ કરી આપતા પ્રિન્ટર અને બાઈન્ડીંગ કરતા મિત્રો, એક-એક અંકને કાળજીપૂર્વક પેક કરી - સરનામાનું સ્ટીકર અને ટપાલ ટીકીટ ચીપકાવવાનું કાર્ય કરતા અમારા કાર્યાલયના સહકર્મીઓ તેમજ ‘સમૃદ્ધ ખેતી’ને આપના સુધી પહોંચાડવામાં મદદરૂપ પોસ્ટ અને કુરીઅરના મિત્રોને પણ દિલથી ‘થેંક્યું’ કહેવાનું કેમ ભૂલાય. આ ઉપરાંત અહી જેઓનો ઉલ્લેખ કરતા રહી ગયું હોય તે સર્વે નામી-અનામી મિત્રોને કરબદ્ધ વંદન. આજે અમારી કૃષિયાત્રાના આ પાંચમાં પગથીએ ઉભા રહીને એ સ્પષ્ટ જોઈએ છીએ કે રાષ્ટ્રના વિકાસનો માર્ગ જો હરિયાળો કરવો હશે તો સમૃદ્ધ ખેતી કરવી અનિવાર્ય છે.

મિત્રો, ઓગષ્ટ માસ એટલે પર્વો-તહેવારોનો મહિનો. ભાઈ-ભગિનીના વિશુદ્ધ પ્રેમનું રક્ષાપર્વ (૭ ઓગષ્ટ), ગ્રામ્યજીવનનું લોકપર્વ  સાતમ (૧૪ ઓગષ્ટ), રાષ્ટ્રીયપર્વ સ્વતંત્રતા દિવસ અને ભક્તિપર્વ જન્માષ્ટમી (૧૫ ઓગષ્ટ), પ્રથમેશપર્વ ગણેશ ચતુર્થી (૨૫ ઓગષ્ટ) અને કૃષિપર્વ બલરામ જયંતી (૨૭ ઓગષ્ટ) વગેરે તહેવારોની હાર્દિક શુભકામનાઓ સાથે...