અમારી ઊર્જા

જોકે ઘણીવાર એવું પણ બને
કે આનંદ મળે તેવી પ્રવૃત્તિ કરવાને બદલે સંજોગો જ એવા ઊભા થાય કે આપણી પસંદગીના વિષય
કરતાં અલગ કે વિપરીત પ્રવૃત્તિ કરવાની ફરજ પડે. આ સમયે મનગમતી પ્રવૃત્તિ કરવાને
બદલે જે છે તેને મનગમતું કરવાથી જીવન ઉર્જાથી તરવરતું ચેતનમય જીવન શક્ય બને.
હવે ઉપરોક્ત અનુસંધાને
કૃષિ ક્ષેત્રની વાત કરીએ તો અમુક છુટાછવાયાં વિસ્તારોને બાદ કરતા છેલ્લા બે વર્ષની
માફક આ વરસે પણ હજુ સુધી જોઈએ તેવી મેઘા મહેર આપણા રાજ્ય પર થઇ નથી. ગમતી અને
અણગમતી પરિસ્થિતિમાં પણ ‘થાકે હારે ઈ બીજા... ખેડૂત નહિ.’ એ મુજબ રાજ્યના વરસાદની કમીથી
અસરગ્રસ્ત વિસ્તારોના ખડતલ ખેડૂતોએ પોતાના આયોજનોમાં પરિવર્તન કરીને કપાસ-મગફળી
સહિતના મુખ્ય પાકોની જગ્યાએ ઓછા પાણીથી પાકતા કઠોળ પાકો તેમજ પશુધનને નીભાવવા માટે
ઘાસચારાના પાકો વાવવાનું ગોઠવી લીધું છે.

મિત્રો, ત્રણ વર્ષની
કૃષિ યાત્રા બાદ ચોથા વર્ષમાં હરિયાળો પ્રવેશ કરી રહેલ સમૃદ્ધ ખેતી અંગે કૃષિ
ક્ષેત્રે કાર્યરત ખેડૂત હિમાયતી મહાનુભાવોના વિચારો, મંતવ્યો, સૂચનો એકત્ર કરવાનો
અમે પ્રયાસ કર્યો. અને પરિણામ સ્વરૂપે અમને અમૂલ્ય રત્નકણિકાઓનો દુર્લભ પટારો
પ્રાપ્ત થયો.
ચાલો, આ મંતવ્ય અને સૂચનરૂપી રત્નોના
ઉજાસમાં રાષ્ટ્રના હરિયાળા વિકાસ માટે સમૃદ્ધ ખેતી તરફ અગ્ર પ્રવાસ કરીએ.
No comments:
Post a Comment