Wednesday, 30 August 2017

शतम् जीव शरदः


વર્ષાની વિદાય અને શરદનુ આગમન એટલે ભાદરવો. દિવસે ધોમ ધખે અને મોડી રાત્રે આછુ ઓઢીને સુવુ પડે એવો ઠાર પડે. આયુર્વેદાચાર્યો કહી ગયા છે કે વર્ષામા પિત્તનો સંગ્રહ થાય અને શરદમા તે પિત્ત પ્રકોપે. આ પ્રકોપવુ એટલે તાવ. આચાર્યોએ શરદને રોગોની માતા કહી છે - रोगाणाम् शारदी माता. એને 'યમની દાઢ' પણ કહી છે .

ભાદરવાના તાપ અને તાવથી બચવા ત્રણ-ચાર ઘરગથ્થુ પ્રયોગો 
  • ભાદરવાના ત્રીસે દિવસ રોજ રાત્રે જમ્યા પછી સુદર્શન/મહાસુદર્શન ઘનવટી - ૨-૩ ટીક્ડી ચાવીને પાણી સાથે (ત્રણ કલાકથી વહેલી નહી, પછી જ).
  • જો ભાવે તો ભાદરવાના ત્રીસે દિવસ દુધ-ચોખા-સાકરની ખીર અથવા દુધ-પૌવા ખાવુ. ગળ્યુ દુધ એ વકરેલા પિત્તનુ જાની દુશ્મન છે. આ હેતુથી જ શ્રાદ્ધપક્ષમાં ખીર બનાવવાનુ આયોજન થયુ હતુ.
  • જેની છાલ પર કથ્થાઇ/કાળા ડાઘ હોય એવા પાકલ કેળાને છુંદીને એમા સાકર ઉમેરી બપોરે જમવા સાથે ખાવા. જો ઇચ્છા હોય તો ઘી પણ ઉમેરવુ. પણ કેળા સાથે ઘી પાચનમા ભારે થાય. એટલે જો ઘી ઉમેરો, તો પછી બે-ત્રણ એલચી વાટીને ઉમેરી દેવી. પાચન સહેલુ થાશે. એવુ કોઇક જ હોય જેને સાકર-કેળા-ઘીનુ મિશ્રણ રોટલી સાથે ન ફાવે. 
  • ખીર અને કેળા - બન્નેનો પ્રયોગ કરવો હોય તો કેળા બપોરે અને ખીર સાંજે એમ ગોઠવવુ).
  • ભુલેચુકે ખાટી છાશ ન જ પીવી. ખુબ વલોવેલી, સાવ મોળી છાશ લેવી હોય તો ક્યારેક લેવાય.
  • ઠંડા પહોરે (વહેલી સવારે કે સાંજે) પરસેવો વળે એટલુ ચાલવુ. (ઠંડી અને ચાંદની રાતમાં રાસગરબા ના આયોજન પાછળનુ રહસ્ય આ જ હતુ - પરસેવો પડે)

 આપણામા એક આશિર્વાદ પ્રચલીત હતો - शतम् जीव शरदः એટલે કે આવી સો શરદ સુખરુપ જીવી જાઓ. આપને પણ આ અને આવતી સો શરદ ઋતુમાં સ્વાસ્થ્ય લાભની શુભેચ્છા...

Tuesday, 29 August 2017

ફેસીસ ઓફ રાજકોટ

Faces Of Rajkot 
#319
તમને નથી લાગતું કે જીવન ક્યારેક કિસ્મત થી ચાલે છે, એકલા મગજ થી ચાલતુ હોત તો અકબર ની જગ્યાએ બીરબલ રાજા હોત !! કંઈક એવી જ વાત છે નરેન્દ્ર વાઘેલાની.
93' ની સાલમાં રેલવેમાં ટી.ટી. ની પરીક્ષા પાસ કરી અને મુંબઈ ઇન્ટરવ્યૂ માટે ગયો. ત્યાં ઇન્ટરવ્યૂ પાસ કર્યું પણ આપણા બધા ડોકયુમેન્ટ્સ તો ગુજરાતીમાં હોય, એટલે એમણે કીધું કે આ ડોકયુમેન્ટ્સ અંગ્રેજી અથવા તો હિન્દીમાં ટ્રાન્સલેટ કરીને 15 દિવસની અંદર મોકલો એટલે નોકરી નો નિમણુંક પત્ર મોકલી આપશું. આપણે તો ભાઈ ખુશ થતા રાજકોટ આવ્યા અને બધા કાગળિયા તૈયાર કરીને પોસ્ટ કર્યા, પણ, નસીબ !! બીજા દિવસે પોસ્ટ ખાતાની દેશવ્યાપી હડતાલ થઇ જે 15 દિવસ ચાલી અને મારા ડોક્યુમેન્ટ્સ સમયસર ના પહોંચ્યા. નોકરી હાથમાંથી ગઈ અને જાણે નસીબ થપ્પડ મારીને ભાગી ગયું હોય એવી શૂળ જેવી પીડા થઇ.

નાનપણમાં સામાજિક અને આર્થિક પછાત વિસ્તારમાં રહેતા હોવાથી માં બાપને થયું કે છોકરો કોઈ ખરાબ સંગત માં પડે એના કરતા કંઈક કરે એ સારું એમ વિચારીને એક ડોક્ટરને ત્યાં કામે લગાડી દીધો. બપોરે નિશાળેથી આવીને ડોક્ટર સાહેબના દવાખાનામાં મદદ કરતો. ભણવામાં હંમેશા અવ્વલ નંબર આવતો પણ માબાપને આર્થિક પરિસ્થિતિ ના હોવાથી નિશાળ 1995 માં બારમા ધોરણ પછી છૂટી ગઈ. એ બંને કારખાનામાં મજૂરીએ જતાં.
એક સ્કૂલમાં નોકરી મળી અને સખત મેહનત કરી પણ એક વાર એક મિટિંગમાં ટ્રસ્ટીઓને કોઈ વાત પર સૂચન આપ્યું તો એમણે રોકડું પરખાવી દીધું કે ડિગ્રી વિનાના માણસોને શું સમજ પડે ! સાહેબ, હાડોહાડ લાગી આવ્યું અને સવિનય નોકરી છોડી ને 10 વર્ષ પછી 2005 માં ફરીથી ભણવાનું શરુ કરી સ્નાતક થયો. અને બીજા દસ વર્ષ બાદ સમય મળતા 2015માં પત્રકારત્વમાં માસ્ટર ડિગ્રી કરી. હાલ દૂરદર્શનમાં "હેલો કૃષિદર્શન" કાર્યક્રમમાં છેલ્લા ૬ વર્ષથી એંકરિંગ કરું છું. જેમાં ખેડૂત મિત્રો ફોન પર લાઈવ સવાલો કરે અને એક્સપર્ટ લોકો દ્વારા માહિતી પુરી પાડવામાં આવે છે.
એક પમ્પ બનાવતી ફેકટરીમાં જોબ મળી અને ત્યાં રેગ્યુલર કામ ની સાથે ખેતી વિષયક માહિતી આપતું એક મેગઝીન શરુ કર્યું. મારી મેહનત અને લગન રંગ લાવી. ખુબ જ પ્રયાસો કરીને માહિતી મેળવીને પ્રકાશિત કરી. જેમ કે, વર્ટિકલ ફાર્મિંગ, હાઇડ્રોપોનિક્સ, ગ્રીન રૂફ ટેકનોલોજી, બાયો ટેકનોલોજી વગેરે જે બહુ જ ક્રાંતિકારી ખેતીનો પ્રકાર છે એ માહિતી સાદી – સરળ ગુજરાતીમાં ખેડૂતોને પહોંચાડી.
આ તો થયું કોઈ બીજા માટે... પણ આખરે નોકરી એ નોકરી... પણ પછી થયું મારુ કોઈ મેગઝીન કેમ ના કરું? ઓગસ્ટ-2013 માં શરું થયેલ મારું "સમૃદ્ધ ખેતી" નામનું મેગેઝીન આજે પંદર હજાર ના સર્ક્યુલેશન સાથે ખેતીનું અવ્વલ નંબરનું સામાયિક બની ગયું છે. ખેડૂતો સાથે એમની ભાષામાં વાત કરતુ સામાયિક આજે 5માં વર્ષમાં પ્રવેશ કરી ચૂક્યું છે. ખેડૂતો પોતાના વિચારો એમાં લખે, માહિતીની આપ-લે થાય. એક તંત્રી તરીકે મારા મેગેજીનમાં લખતા કૃષિ પત્રકારોને કોઈથી ડર્યા વગર ખુલ્લું સત્ય લખવાની છૂટ આપેલી છે. અત્યાર સુધીના કેન્દ્રીય કૃષિ મંત્રીઓનું લિસ્ટ જે ભારત સરકારની વેબ સાઈટ પર પણ નહોતું, જે મેં માહિતી એકત્રિત કરીને બહાર પાડ્યું,
ક્યારેય વાડી-ખેતર તો ઠીક પણ ઘરના આંગણે પાંચ-દસ છોડ ઉગે તેટલી જગ્યા નહોતી.... પણ આજે ગુજરાતનાં અને દેશના ખેડૂતો માટે કાર્યરત છું. મારી ટીમ સાથે ખેડૂત મિત્રોને પાક, જીવાત, ટેકાના ભાવ, વેજ્ઞાનિક ખેતી, ટેક્નોલોજી અને બીજી અનેક બાબતો માટે સૂચનો પુરા પાડું છું. તેમજ આ મેગઝીન ઉપરાંત, વોટ્સઅપ ગ્રુપ, ઓનલાઇન માહિતી અને હેલ્પલાઇન પણ પુરી પાડું છું.
કૂખ કુંતીની જ કારણ દેહનું તોયે છતાં,
પાર્થમાં ગણના તમારી ને અમારી કર્ણમાં.
- અશોક ચાવડા 'બેદીલ'

Tuesday, 22 August 2017

मैं जाग गया..!

कल रात मैंने एक "सपना"  देखा कि मेरी मौत हो गई...!!!

जीवन में कुछ अच्छे कर्म किये होंगे इसलिये यमराज मुझे स्वर्ग में ले गये...
देवराज इंद्र ने  मुस्कुराकर मेरा स्वागत किया...

मेरे हाथ में थैला देखकर पूछने लगे, ''इसमें क्या है..?"
मैंने कहा, ''इसमें मेरे जीवन भर की कमाई है, पांच करोड़ रूपये हैं ।"

इन्द्र ने मुज़े  न.वा.०५०५१९७८  नम्बर के लोकर की ओर  इशारा करते हुए कहा- ''आपकी अमानत इसमें रख दीजिये..!''
मैंने थैला उस लोकर में रख दीया...

मुझे एक कमरा भी दिया, जहां नहा-धोके तैयार होकर में स्वर्ग के बाज़ार में निकला...

देवलोक के शोपिंग मॉल मे अदभूत वस्तुएं देखकर मेरा मन ललचा गया..!
मैंने कुछ चीजें पसन्द करके एक ट्रोली में डाली और काउंटर पर जाकर
उन्हें हजार हजार के करारे नोटें देने लगा...

वहा के मेनेजर ने नोटों को देखकर कहा, ''यह नोट यहाँ नहीं चलती..!''
यह सुनकर मैं हैरान रह गया..!

मैंने इंद्र के पास जाकर इसकी शिकायत की...
इंद्र ने मुस्कुराते हुए कहा कि, ''आप व्यापारी होकर  इतना भी नहीं जानते..?
कि आपकी करेंसी आपके बाजु के मुल्क पाकिस्तान,  श्रीलंका  और बांगलादेश में भी
 नही चलती... और आप मृत्यूलोक की करेंसी स्वर्गलोक में चलाने की मूर्खता कर रहे हो..?''

यह सब सुनकर मुझे मानो साँप सूंघ गया..!
मैं जोर जोर से दहाड़े मारकर रोने लगा. और परमात्मा से दरखास्त करने लगा...

''हे भगवान्.. ये क्या हो गया.?''
''मैंने कितनी मेहनत से ये पैसा कमाया..!''
''दिन नही देखा, रात नही देखा, पैसा कमाया...!''

''माँ बाप की सेवा नही की, पैसा कमाया,
बच्चों की परवरीश नही की, पैसा कमाया....
पत्नी की सेहत की ओर ध्यान नही दिया, पैसा कमाया...!''

''रिश्तेदार, भाईबन्द, परिवार और यार दोस्तों से भी किसी तरह की
हमदर्दी न रखते हुए पैसा कमाया.!!"

''जीवन भर हाय पैसा, हाय पैसा किया...!
ना चैन से सोया, ना चैन से खाया...
बस,  जिंदगी भर पैसा कमाया.!''

''और यह सब व्यर्थ गया..?''
''हाय राम, अब क्या होगा..!''

इंद्र ने कहा,- ''रोने से कुछ हासिल होने वाला नहीं है.!! "
"जिन जिन लोगो ने यहाँ जितना भी पैसा लाया, सब रद्दी हो गया।"

"जमशेद जी टाटा के ५५ हजार करोड़ रूपये,
बिरला जी के ४७ हजार करोड़ रूपये,
धीरू भाई अम्बानी के ३० हजार करोड़ अमेरिकन डॉलर...!
सबका पैसा यहां लोकर में पड़ा है...!"

मैंने इंद्र से पूछा- "फिर यहां पर  कौनसी करेंसी चलती है..?"

इंद्र ने कहा- "धरती पर अगर कुछ अच्छे कर्म किये है क्या ...?!
...जैसे किसी दुखियारे को मदद की,
...किसी रोते हुए को हसाया,
...किसी गरीब बच्ची की शादी कर दी,
...किसी अनाथ बच्चे को पढ़ा लिखा कर काबिल बनाया...!
...किसी को व्यसनमुक्त किया...!
 ...किसी अपंग स्कुल, वृद्धाश्रम या मंदिरों में दान धर्म किया...वगैरा...वगैरा...
"ऐसे पूण्य कर्म करने वालों को यहाँ पर एक क्रेडिटकार्ड मिलता है...!
... और उसका उपयोग करके आप यहाँ स्वर्गीय सुख का उपभोग ले सकते है..!''

मैंने कहा, "भगवन.... मुझे यह पता नहीं था. इसलिए मैंने अपना जीवन व्यर्थ गँवा दिया.!!"
"हे प्रभु,  मुझे थोडा आयुष्य दीजिये..!''
और मैं गिड़गिड़ाने लगा.!

इंद्र को मुझ पर दया आ गई ! !  उन्होंने तथास्तु कहा... और मेरी नींद खुल गयी..!
मैं जाग गया..!
अब मैं वो दौलत कमाऊँगा जो वहाँ चलेगी..!!
--------------------------------------------------------------------------------------------------------------
नोट : रचना किसी और की है मैंने तो आप तक पहुंचाने में सिर्फ मेरी उंगलियों का इस्तेमाल किया है।  

Tuesday, 8 August 2017

પાંચમું પગથીયું

મિત્રો, સૌ પ્રથમ તો આપ સર્વે વાચકોએ છેલ્લા ચાર વર્ષથી અમને આપેલ ભરપૂર પ્રેમ, હુંફ, લાગણી, પ્રોત્સાહન, આશીર્વાદ, સૂચનો, મંતવ્યો વગેરે માટે સમગ્ર જી-વીન પરિવાર વતી હૃદયના ઊંડાણથી પ્રણામ. આજે જ્યારે આપણું ‘સમૃદ્ધ ખેતી’ પાંચમાં વર્ષમાં પ્રવેશી રહ્યું છે ત્યારે અમારા માટે એક અનુપમ અવસર આવ્યો છે કે અમે ‘સમૃદ્ધ ખેતી’ સાથે જોડાયેલ એ તમામ લોકોનું સ્મરણ કરીને, તેઓનો અંતઃકરણપૂર્વક આભાર માની શકીએ કે જેઓ પ્રત્યક્ષ અથવા અપ્રત્યક્ષ રીતે અમને અહી સુધી પહોંચાડવામાં મદદરૂપ થયા છે.

જેમાં વાત કરીએ કૃષિતીર્થ સમાન રાજ્યની ચારેય કૃષિ યુનીવર્સીટીઓ, તેમના સંશોધન કેન્દ્રો, વિવિધ કૃષિ મહાવિદ્યાલયો, કૃષિ વિજ્ઞાન કેન્દ્રો, આ સંસ્થાઓમાં રહી જાતજાતના કૃષિલક્ષી સંશોધનો કરતા કૃષિ વિજ્ઞાનીઓ અને અધિકારીઓની. અમે તેઓના આભારી છીએ કે તેમણે કૃષિ સંશોધનોની નવી માહિતી અને વિગતોને ખેડૂતો સુધી પહોંચાડવા માટે ‘સમૃદ્ધ ખેતી’ને માધ્યમ તરીકે પસંદ કર્યું છે. આ સાથે જ અમે આભારી છીએ એ સત્યનિષ્ઠ અધિકારીઓના કે જેઓ કૃષિ સંબંધિત સરકારી કચેરીઓમાં બેસીને ખરા અર્થમાં વિવિધ લોકકલ્યાણકારી કાર્યો કરી રહ્યાં છે. અને ખેડૂત સમાજના વિશાળ હિતમાં પ્રમાણભૂત માહિતી પ્રકાશિત કરવા માટે સમયાંતરે ‘સમૃદ્ધ ખેતી’માં મોકલે છે. તેમજ સમયાંતરે અમારું માર્ગદર્શન પણ કરે છે.
એક સામાન્ય નિયમ છે કે ક્યારેય ઘરના લોકોનો આભાર માનવાનો ન હોય. છતાં પણ આ પ્રસંગે ‘સમૃદ્ધ ખેતી’ના એ તમામ આદરણીય કટારલેખક મિત્રોને સલામ કરતા સ્વયંને રોકી શકતો નથી. જેઓ પોતાના વ્યાવસાયિક અને પારિવારિક વ્યસ્તતા વચ્ચે પણ સમય કાઢીને આપણા માટે જાણકારીના ખજાના સમાન અનુભવ લખાણો મોકલી રહ્યા છે. સાથોસાથ આ લેખક મિત્રોના પરિજનો પણ એટલા જ આદરમાનના અધિકારી છે કે તેઓ થોડીઘણી અગવડતા સહીને પણ આપણા લેખકોને વિચારવાની, લખવાની મોકળાશ આપી રહ્યા છે.
મિત્રો, માહિતી અને લેખો મળ્યા પછી જે લોકોની ભૂમિકા શરૂ થાય છે તેવા અમારા ડીઝાઈનર બંધુઓ, આવું સુંદર છાપકામ કરી આપતા પ્રિન્ટર અને બાઈન્ડીંગ કરતા મિત્રો, એક-એક અંકને કાળજીપૂર્વક પેક કરી - સરનામાનું સ્ટીકર અને ટપાલ ટીકીટ ચીપકાવવાનું કાર્ય કરતા અમારા કાર્યાલયના સહકર્મીઓ તેમજ ‘સમૃદ્ધ ખેતી’ને આપના સુધી પહોંચાડવામાં મદદરૂપ પોસ્ટ અને કુરીઅરના મિત્રોને પણ દિલથી ‘થેંક્યું’ કહેવાનું કેમ ભૂલાય. આ ઉપરાંત અહી જેઓનો ઉલ્લેખ કરતા રહી ગયું હોય તે સર્વે નામી-અનામી મિત્રોને કરબદ્ધ વંદન. આજે અમારી કૃષિયાત્રાના આ પાંચમાં પગથીએ ઉભા રહીને એ સ્પષ્ટ જોઈએ છીએ કે રાષ્ટ્રના વિકાસનો માર્ગ જો હરિયાળો કરવો હશે તો સમૃદ્ધ ખેતી કરવી અનિવાર્ય છે.

મિત્રો, ઓગષ્ટ માસ એટલે પર્વો-તહેવારોનો મહિનો. ભાઈ-ભગિનીના વિશુદ્ધ પ્રેમનું રક્ષાપર્વ (૭ ઓગષ્ટ), ગ્રામ્યજીવનનું લોકપર્વ  સાતમ (૧૪ ઓગષ્ટ), રાષ્ટ્રીયપર્વ સ્વતંત્રતા દિવસ અને ભક્તિપર્વ જન્માષ્ટમી (૧૫ ઓગષ્ટ), પ્રથમેશપર્વ ગણેશ ચતુર્થી (૨૫ ઓગષ્ટ) અને કૃષિપર્વ બલરામ જયંતી (૨૭ ઓગષ્ટ) વગેરે તહેવારોની હાર્દિક શુભકામનાઓ સાથે...