મિત્રો, "માં ભગવતીના સાક્ષાત સ્વરૂપ સમાન નારીશક્તિનો
ઉદ્ધાર થયા વિના તમારો ઉદ્ધાર થશે એમ જો તમે માનતા હોવ તો તમે ભુલો છો". આ
શબ્દો છે મારા ઓલટાઈમ ફેવરીટ સ્વામી વિવેકાનંદના... તેમનું આ સૂત્ર એટલે સ્મરણમાં
આવ્યું કે આ માર્ચ મહિનાના આઠમાં દિવસે આખું વિશ્વ ‘આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ’ની
ઊજવણી કરશે. એક દિવસ તમામ જગ્યાએ નારીશક્તિના વખાણ અને ગુણગાન કરવામાં આવશે. પરંતુ
બીજા દિવસથી જૈસે થે. સ્ત્રીઓ સમગ્ર જીવન દરમ્યાન પોતાના પરીવાર માટે જે રીતે સંઘર્ષ
કરે છે તે અનન્ય હોય છે.
ચીનના તત્કાલીન પ્રથમ મહિલા
ઉપરાષ્ટ્રપતિ મેડમ સુન-યાત-સેનની ભારત મુલાકાત વખતે તેણીને આવકારતા આપણા રાષ્ટ્રપતિ
અને હિંદુ ધર્મના પ્રકાંડ પંડિત ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણને કહ્યું હતું કે, ‘નારીશક્તિને
પૂજતા ભારતમાં આપનું સ્વાગત છે. જગતભરમાં માત્ર ભારતીય વિચારધારા જ એવી છે કે
જ્યાં પરાપૂર્વથી ધર્મ, અર્થ, કામ અને મોક્ષની પ્રાપ્તિ તથા તેની સાધના માટે
સ્ત્રી અને પુરુષ સમાન ભાગીદાર ગણાયા છે. પરંતુ જયારે ગૃહ સંચાલનની વાત આવે ત્યારે
અહિયાં સ્ત્રીને ‘ગૃહિણી’ એટલે કે ઘરની ઉપરી અથવા હેડ કહેવામાં
આવે છે. સમાજ વહેવાર કરતી સ્ત્રીને ‘સચિવ’ એટલે ડાહી સલાહકાર અને પુરૂષની સાથેના પરસ્પર સંબંધ
માટે સ્ત્રીને ‘સખી’ એટલે સારી મિત્ર કહી છે.’


મિત્રો, આ માસમાં ભારતીય સંસ્કૃતિ જેનાથી
પ્રભાવિત છે તેવા અનેક પર્વો-તહેવારો આવી રહ્યા છે. જેમ કે લોકપર્વ ગુડી પડવો (૧૮
માર્ચ), શ્રીરામનવમી અને શ્રીસ્વામીનારાયણ જયંતી (૨૫ માર્ચ), શ્રીમહાવીર જયંતી (૨૯
માર્ચ) અને શ્રીહનુમાન જયંતી (૩૧ માર્ચ) વગેરે. આપ સહુને આ તહેવારોની શુભકામનાઓ
સાથે ચાલો, નારીશક્તિના આશીર્વાદથી રાષ્ટ્રને સમૃદ્ધ ખેતીના માર્ગે હરિયાળા વિકાસ
તરફ લઇ જઈએ...
આપનો,
નરેન્દ્ર વાઘેલા
No comments:
Post a Comment