Wednesday, 20 September 2017

शेर और गिलहरी

एक गिलहरी रोज अपने काम पर समय से आती थी और अपना काम पूरी मेहनत और ईमानदारी से करती थी गिलहरी जरुरत से ज्यादा काम कर के भी खूब खुश थीक्यों कि उसके मालिक, जंगल के राजा शेर ने उसे दस बोरी अखरोट देने का वादा कर रखा था
गिलहरी काम करते करते थक जाती थी तो सोचती थी, कि थोडी आराम कर लूँ, वैसे ही उसे याद आता कि शेर उसे दस बोरी अखरोट देगागिलहरी फिर काम पर लग जातीगिलहरी जब दूसरे गिलहरीयों को खेलते देखती थी, तो उसकी भी इच्छा होती थी कि मैं भी खेलूं, पर उसे अखरोट याद आ जाता, और वो फिर काम पर लग जातीऐसा नहीं कि शेर उसे अखरोट नहीं देना चाहता था, शेर बहुत ईमानदार था |

ऐसे ही समय बीतता रहा...
एक दिन ऐसा भी आया जब जंगल के राजा शेर ने गिलहरी को दस बोरी अखरोट दे कर आज़ाद कर दियागिलहरी अखरोट के पास बैठ कर सोचने लगी कि अब अखरोट मेरे किस काम के पूरी जिन्दगी काम करते - करते दाँत तो घिस गये, इन्हें खाऊँगी कैसे |

यह कहानी आज जीवन की हकीकत बन चुकी है |
इन्सान अपनी इच्छाओं का त्याग करता है, पूरी ज़िन्दगी नौकरी, व्योपार, और धन कमाने में बिता देता है60 वर्ष की उम्र में जब वो सेवा निवृत्त होता है, तो उसे उसका जो फन्ड मिलता है, या बैंक बैलेंस होता है, तो उसे भोगने की क्षमता खो चुका होता हैतब तक जनरेशन बदल चुकी होती है, परिवार को चलाने वाले बच्चे आ जाते है |

क्या इन बच्चों को इस बात का अन्दाजा लग पायेगा की इस फन्ड, इस बैंक बैलेंस के लिये :
                कितनी इच्छायें मरी होंगी ?
                कितनी तकलीफें मिली होंगी ?
                कितनें सपनें अधूरे रहे होंगे ?
क्या फायदा ऐसे फन्ड का, बैंक बैलेंस का, जिसे पाने के लिये पूरी ज़िन्दगी लग जाये और मानव उसका भोग खुद न कर सकेइस धरती पर कोई ऐसा अमीर अभी तक पैदा नहीं हुआ जो बीते हुए समय को खरीद सकेइस लिए हर पल को खुश होकर जियो व्यस्त रहो, पर साथ में मस्त रहो सदा स्वस्थ रहो !!

मौज लो, रोज लो, नहीं मिले तो खोज लो !

BUSY  पर BE-EASY  भी रहो !!!

Thursday, 14 September 2017

हिंदी दिवस


14 सितंबर 1949 को हिंदी भाषा को राज भाषा का दर्जा मिलने के बाद से हर साल 14 सितंबर के दिन को हम हिंदी दिवस के रूप में मनाते है। आज हम आपको हिंदी से जुड़े कुछ ऐसे तथ्यों के बारे में बताने जा रहे हैं जिनके बारे में आपने शायद पहले नहीं सुना होगा...
1. 1950 में हिंदी भाषा को भारत की आधिकारिक भाषा का दर्जा मिला था। 1954 में भारत सरकार ने हिंदी व्याकरण तैयार करने के लिए समिति का गठन किया।
2. भारत के बाहर, हिंदी बोलने वाले लोग संयुक्त राज्य अमेरिका में 648,983, मॉरीशस में 685,170, दक्षिण अफ्रीका में 890,292, यमन में 232,760, युगांडा में 147,000, सिंगापुर में 5,000, नेपाल में करीब 8 लाख, न्यूजीलैंड में 20,000, जर्मनी में 30,000 हैं। 20 से ज्यादा देशों में हिंदी भाषा का इस्तेमाल किया जाता है।
3. इंटरनेट पर 94% हिंदी की मांग
सात भाषाएं ऐसी हैं जिनका इस्तेमाल वेबएड्रस बनाने में किया जाता है, उनमें से हिंदी एक है। हिंदी की लोकप्रियता का अंदाजा आप इसी बात से लगा सकते हैं कि हर साल इंटरनेट पर हिंदी कंटेंट की मांग 94 फीसद बढ़ रही है।
4. दुनियाभर में हिंदी का इस्तेमाल
हिंदी सबसे ज्यादा बोले जाने वाली भाषाओ में से एक है। हिंदी का इस्तेमाल करीब 60 करोड़ लोग करते हैं।
5. 176 विश्वविद्यालयों में हिंदी की पढ़ाई
दुनिया के 176 विश्वविद्यालयों में हिंदी पढ़ाई जाती है, जिसमें से 45 विश्वविद्यालय अमेरिका के हैं। इतना ही नहीं विदेश में 25 से ज्यादा पत्र-पत्रिकाएं रोज हिंदी में निकलती हैं।
6. अंग्रेजी के ये शब्द लिए गए हिंदी से
गुरू, जंगल, कर्मा, योगा, बंगला, चीता, लूट, ठग और अवतार जैसे अंग्रेजी में जैसे प्रचलित शब्द हिंदी भाषा में लाए गए।
7. 1805 में प्रकाशित लल्लू लाल द्वारा लिखित श्रीकृष्ण पर आधारित किताब प्रेम सागर को हिन्दी में लिखी गई पहली किताब माना जाता है।
8. हिंदी को अपना नाम एक परसियन शब्द हिन्दू से मिला, जिसका मतलब है पवित्र नदी की भूमि। यह भी कहा जाता है कि सि़ंधु नदी के पास जो सभ्यता फैली उसे सिंधु सभ्यता और उस क्षेत्र के लोगों को हिन्दू कहा जाने लगा जो कि सिंधु शब्द से ही बना। और इनके द्वारा बोली जाने वाली भाषा हिंदी कहलाई।
9. सरकार ने संयुक्त राष्ट्र की आधिकारिक भाषाओं में हिंदी को शामिल कराने के लिए सालाना 250 करोड़ रुपये खर्च किए हैं।
10. बिहार वो पहला राज्य है जिसने हिंदी को अपनी आधिकारिक भाषा के तौर पर स्वीकार किया। साल 1881 तक बिहार की आधिकारिक भाषा उर्दू हुआ करती थी जिसके स्थान पर हिंदी को अपनाया गया।

Wednesday, 6 September 2017

માનસિકતાનો વિકાસ

મિત્રો, જે લોકોને નિયમિત રૂપે અખબારો કે પત્રિકાઓમાં ખાસ કરીને કૃષિલક્ષી સમાચારો વાંચવાની ટેવ હશે તેઓ જાણતા જ હશે કે ખ્યાતનામ સર્વે એજન્સીઓ દ્વારા થતી મોજણી મુજબ દેશના જી.ડી.પી.માં કૃષિ ક્ષેત્રનું યોગદાન વર્ષ ૨૦૦૪-૫ થી લઇને આજ દિન સુધી અભૂતપૂર્વ રીતે સરેરાશ ૯ ટકાના દરે વધી રહ્યું છે. પરંતુ ખેડૂતોની આર્થિક સ્થિતિમાં જોઈએ તો આજે પણ ખાસ સુધારો થયો હોય તેવું છાતી ઠોકીને કહી શકાતું નથી. સતત સંશોધન પામતા નવા બિયારણો અને ખાતરો, નવીનવી ખેતી પદ્ધતિઓ, કેટકેટલી સરકારી યોજનાઓ વગેરેથી ખેતીના ટર્નઓવરનો આંકડો ચોક્કસ મોટો થતો ગયો છે, પરંતુ ગામડામાં વસતા છેવાડાના ખેડૂતની આવકની રકમમાં એકડા પાછળ કેટલા નવા મીંડા ઉમેરાયા તે સવાલ કોઈ યક્ષપ્રશ્નથી કામ નથી.
આપણા દેશમાં જાહેર થતા રાષ્ટ્રીય વિકાસ દરની જેમ જ વિશ્વના કેટલાક દેશોમાં રાષ્ટ્રીય સુખાકારી આંક પણ જાહેર કરવામાં આવતો હોય છે. જેના પરથી જાણી શકાય કે તે દેશો સામાન્ય નાગરિક કેટલો સુખી છે. શું આપણા ગામડાઓમાં રહેતા લોકો આજે ખરેખર ખુશ છે ? આજે ભલે ગામડાઓમાં ટી.વી., ફ્રીજ, વોશિંગ મશીન, ઇન્ટરનેટ પહોંચી ગયા હોય પણ જનસામાન્યના સુખાકારી આંકમાં ઘટાડો આવ્યો છે તેવું ન માનવા માટે કોઈ નક્કર કારણ દેખાતું નથી. તેમાં માત્ર સરકાર કે માત્ર ખેડૂત વર્ગ જ જવાબદાર નથી. પરંતુ ૨૧ મી સદીના માણસની માનસિકતા જ સમગ્રતયા કારણભૂત છે. સરકાર પણ આખરે તો આપણામાંથી જ ચૂંટાયેલા લોકોની બનેલી હોય છે ને !!
વાત કોઈની ઉપર દોષનો ટોપલો ઢોળી દેવાથી પૂરી નથી થઇ જતી. જરૂર છે સ્વયંની માનસિકતાને સુધારવાની શરૂઆત કરવાની. ‘સર્વે ભવન્તુ સુખિનઃ અને ‘બહુજનહિતાય બહુજનસુખાય’ના વેદવાક્ય પરથી બોધ લઈને, માત્ર મારો જ વિકાસ થાય એવું સ્વાર્થી વલણ છોડી, મારી સાથે મારા પરિવારનો, ગામનો, રાજ્યનો, દેશનો અને અંતે સમગ્ર વિશ્વના લોકોની માનસિકતાનો વિકાસ થાય એવી ભાવના સાથે કાર્ય કરવાની શરૂઆત કરીએ. આપણા ભાગે જે કામ આવ્યું હોય તે માટે બસ, આ મારું જે કામ છે અને તે મારે પૂરી નિષ્ઠાથી કરવાનું જ છે... આ વાક્યને વેદવાક્ય માની લઈએ. ગામના તલાટીમંત્રીથી માંડીને દેશના પ્રધાનમંત્રી સુધી વચ્ચે આવતા તમામ અધિકારીઓ, કર્મચારીઓ, નેતાઓ, પોલીસ, પત્રકારો, વિવિધ વ્યવસાયીઓ તથા દરેક નાગરીકો વગેરે આપણે સૌ એક નાનકડી શરૂઆત કરીએ તો જી.ડી.પી. જેવા આંકની ગતિને ક્યાંય પાછળ છોડી દઈશું.
મિત્રો, આ માસ દરમ્યાન એવા અનેક પર્વ-પ્રસંગો આવી રહ્યા છે કે જેની ઉજવણી થકી આપણે સહુ પોતાના બીબાંઢાળ જીવનમાં થોડી તાજગીની ક્ષણો ઉમેરી શકીએ. જેમકે આપણને સાક્ષર બનાવનાર શિક્ષકોને પ્રેમથી સ્મરવાનું જ્ઞાનપર્વ શિક્ષક દિવસ (૫ સપ્ટેમ્બર), આપણા પૂર્વજોના સ્મરણ-પૂજાનું પિતૃપર્વ શ્રાદ્ધપક્ષ (૬ થી ૨૦ સપ્ટેમ્બર), દૈવીની નૃત્યઆરાધના વડે જીવન ચેતનાની ઊર્જા જગાડતું શક્તિપર્વ નવરાત્રી (૨૧ થી ૨૯ સપ્ટેમ્બર) અને અસત્ય પર સત્યના વિજયનું જયપર્વ એટલે કે વિજયા દશમી (૩૦ સપ્ટેમ્બર) વગેરે. આ તમામ પર્વ-પ્રસંગો માટે સમૃદ્ધ ખેતી પરિવારની શુભકામનાઓ સાથે...

Friday, 1 September 2017

શુકન-અપશુકન

જરૂર વાંચજો , તમારો શુકન-અપશુકનનો ખ્યાલ બદલાઈ જશે...

સંધ્યાકાળે કચરો ઘરની બહાર ન કઢાય :
જુના કાળમાં ઈલેક્ટ્રિસિટિ ન હતી. સૂર્યાસ્ત બાદ દીવો કે ફાનસના અપૂરતા પ્રકાશમાં કામ ચલાવવાનું રહેતું. આથી બનતું એવું કે દિવસ દરમિયાન કામ કરતા-કરતા અજાણતા કોઈ અમૂલ્ય ચીજ-વસ્તુ હાથમાંથી જમીન પર પડી ગઈ હોય ને સંધ્યા ટાણે મંદ અંધકારની સ્થિતિમાં એ વસ્તુ કચરા સાથે ઘરની બહાર જતી રહે તો કોઈને એની જાણ ન થાય. આથી એ સમયના વડીલો કહેતા કે સંધ્યાકાળે કચરો કાઢવાથી લક્ષ્મી ઘરમાંથી ચાલી જાય છે. આજે તો ઘર-ઘરમાં રાત્રે પૂરતો પ્રકાશ મળી રહે છે તેથી કોઈ વસ્તુ કચરા સાથે ઘર બહાર નિકળી જાય એવો ડર રહેતો નથી. છતાં દિવસ જેવો ઉજાસ તો ઉપલબ્ધ નથી જ. માટે રાત્રે કચરો વાળી શકાય પરંતુ ચોકસાઈ તો રાખવી જ પડે.

શનિવારે માથામાં તેલ ન નખાય :
અંગ્રેજોના શાસનકાળ દરમિયાન રવિવાર રજાનો દિવસ જાહેર થયો હતો. આથી માથુ ધોવા માટે રવિવારે જ સમય મળતો. હવે રવિવારે માથુ ધોવાનું હોય તો માથામાં બહુ ચિકાશ ન હોય તો સરળતાથી માથાના વાળમાં રહેલો મેલ કાઢી શકાય. કારણ કે એ સમયે ચિકાશ કાઢવા માટે અદ્યતન સાબુ-શેમ્પૂ ઉપલબ્ધ ન હતા. માટે લોકો સમજીને શનિવારથી જ માથુ કોરું રાખતા. આ વાત ન માને તો ‘ધરમ ’નો ડર બતાવી કોઈને કાબુમાં લેવાનું સરળ હતું. આથી કહી દેવાતું કે શનિવાર હનુમાનજીનો વાર હોવાથી માત્ર હનુમાનજીને તેલ ચઢે, આપણે માથામાંતેલ નાંખવાનું નહિ.
એ જ રીતે નખ કાપવા માટે, બુટ ખરીદવા માટે, દાઢી સાફ કરવા માટે, વાળ કપાવવા માટે રવિવારની રજા બહુ કામમાં આવતી. શનિવારે આ બધું ન થાય એની પાછળ કોઈ વિજ્ઞાન નથી. રવિવારની રજાના દિવસે મોટા ભાગના લોકો વાળ કપાવવાનું તેમજ દાઢી સાફ કરાવવાનું રાખતા હોવાથી એ દિવસે વાળંદ રજા તો ન જ રાખી શકે ઉલ્ટાનું એને રવિવારે ઓવરટાઈમ કરવો પડે. આથી આગલા દિવસે શનિવારે એ રજા ભોગવી લે તો રવિવારે પુરી સ્ફૂર્તિથી કામ કરી શકે એ માટે વાળંદ માટે શનિવારે રજા નક્કી થઈ હશે.

એના પગલા ખરાબ છે :
દિકરાને પરણાવીને વહુને ઘરે લાવ્યા બાદ ઘરમાં કોઈ અમંગળ ઘટના બને તો વહુના પગલાને ખરાબ ગણીને એને દોષ આપવામાં આવે છે. નવા પરણેલા દિકરાની નોકરી છુટી જાય, કોઈ ઘરમાં માંદુ પડે, કોઈનું અવસાન થાય વગેરે પૈકી કોઈ ઘટના બને તો એમાં વહુનો શું દોષ? પરંતુ આવા મનઘડંત કારણ-પરિણામના સંબંધો જોડી દેવાની માનસિક નબળાઈ મોટા ભાગના પરિવારોમાં જોવા મળે છે. એ જ રીતે દિકરીનો જન્મ થયા બાદ ઘર પર કોઈ આપત્તિ આવે તો એના પગલાને ખરાબ ગણવામાં આવે છે. રામના સીતા સાથે લગ્ન થયા બાદ રામની રાજગાદી છીનવાઈ ગઈ, તેઓને ચૌદ વર્ષનો વનવાસ થયો એટલું જ નહિ, બધું જ વ્યવસ્થિત ચાલતું હતું, રામ પુન: રાજ્યસિંહાસન આરૂઢ થયા હતા , સીતા સાથે પ્રણયમગ્ન હતા તેવામાં સીતાનો પ્રસુતિકાળ નજીક આવ્યો, રામના બે પુત્રો લવ-કુશના જન્મનો સમય થયો ત્યાં તો સીતાનો સર્વદા ત્યાગ કરવાનો કપરો નિર્ણય રામને કરવાનો થયો. ચૌદ વર્ષનો ઘોર કષ્ટદાયક સમય પુરો થયા બાદ પણ રામ સુખપૂર્વક દામ્પત્યજીવન માણી શક્યા નહિ તો શું રામ સીતાને, લવ-કુશના આગમનને દુર્ભાગ્યપૂર્ણ ગણશે ?

કોઈ બહાર જતું હોય તો ‘ક્યાં જાઓ છો’ એમ નહિ પૂછવાનું :
ઘણાં પરિવારોમાં તો આ રિવાજ એટલો બધો જડ બેસલાક હોય છે કે ભુલમાં કોઈ બાળક , ‘ક્યાં જાઓ છો?’ એવું પૂછી લે તો બહાર જનાર તથા ઘરના સભ્યો ખુબ નારાજ થઈ જાય છે. આની પાછળની સમજણ એવી છે કે કોઈના અંગત મામલામાં વધુ પડતી જિજ્ઞાસા રાખવી અસભ્ય ગણાય. બાકી શુકન –અપશુકન જેવું કંઈ હોતું નથી.

ઉલ્ટા પડેલા ચંપલ :
કોઈ કોઈ ઘરના કમ્પાઉંડમાં પ્રવેશતા જ ચંપલ કે બુટ ઉંધુ પડેલું જોવા મળે તો એને અપશુકન ગણવામાં આવે છે. વાસ્તવમાં ઘરના સભ્યો બિનજવાબદાર ગણાય કારણ કે જુએ  છે બધાં જ પરંતુ કોઈ એને સીધું કરવાનું સમજતા નથી. આ ઘટનાને અપશુકન સાથે શું લેવાદેવા ? એ જ રીતે કોઈ જમીન પર પગ ઘસડીને ચાલતુ હોય કે પછી પલંગમાં બેસીને લબડતા પગ હલાવ્યા કરે તો એને કહેવાય છે કે આ રીતે કરવાથી ઘરમાંથી લક્ષ્મી ચાલી જાય છે. વાસ્તવમાં આ બધી અસભ્યતાની નિશાનીઓ છે જે વ્યક્તિને પ્રેમથી સમજાવવાથી દૂર થઈ શકે છે. પરંતુ બધાએ માની લીધું છે કે આર્થિક નુક્શાનના ડરથી જ બધા સીધા ચાલે છે આથી કોઈ પણ ખોટી આદત છોડાવવા માટે લાગલું જ ‘ લક્ષ્મી ચાલી જશે’ એમ કહેવાય છે.

બિલાડી આડી ઉતરે છે :
આવા અપશુકનમાં વિશ્વાસ રાખનારા વાહિયાત છે. બીજું શું ?માણસ બિલાડીને આડો ઉતરે ને એનો દિવસ ખરાબ જાય તો એ કોને ફરિયાદ કરશે ? ઘણા કહે છે: ‘આજે સવારે મેં કોનો ચહેરો જોયો હતો ? મારો આખો દિવસ ખરાબ ગયો.’અરીસામાં જ જોયું હોય ને ભાઈ તેં ! ચાલતા હાથે-પગે વાગે તો કહેશે ‘ કોઈ મને ગાળ દઈ રહ્યું છે.’ હેડકી આવે અથવા ખાતા-ખાતા અંતરસ આવે તો કહે, ‘મને કોઈ બહુ યાદ કરે છે.’ ભ’ઈ તારા લેણિયાતો સિવાય તને કોઈ યાદ કરે એમ નથી !

એક છીંક આવે તો ‘ ના’ અને બે છીંક આવે તો ‘હા’ :
કોઈ કામ કરવાનું શરૂ કરો, ક્યાંય બહાર જવા નિકળો ને એક છીંક આવે તો રોકાઈ જવાનું અને થોડી વાર રહીને કામ કરવાનું. બે છીંક આવે તો તમારા કાર્યને કુદરતનું સમર્થન છે એમ માનીને એ કામ દૃઢતાથી કરવાનું. મારો એક મિત્ર તો પોતાનું વાહન ડાબી બાજુ વાળતો હોય ને એક છીંક આવે તો જમણી બાજુ વાળી લે. આ છીંકને શુકન-અપશુકન સાથે કોઈ સંબંધ ખરો ?

મુહૂર્ત જોવડાવવામાં આવે છે :
કૃષ્ણ મુહૂર્ત જોઈને દુર્યોધન સાથે વિષ્ટી (સંધિ) કરવા હસ્તિનાપુર ગયા હતા. છતાં એમણે કહ્યું હતું કે ‘હું જાઉં છું માટે જ વિષ્ટિ સફળ નહિ થાય. અલબત્ત મારા સઘન પ્રયાસો હશે જ વિષ્ટિને સફળ બનાવવા માટેના !’ ગૃહપ્રવેશ, રાજ્યાભિષેક ,લગ્ન વગેરે મુહૂર્ત જોવડાવીને થાય છે. એની પાછળનું રહસ્ય પ્રકૃતિનો સાથ લેવાનો આશય છે. આપણે ત્યાં વર્ષાઋતુમાં એક પણ લગ્નનું મુહૂર્ત હોતું નથી. કારણ શું ? વરસાદમાં બધાને અગવડ પડે છે. અરે, તીર્થયાત્રીઓ ચાર માસ સુધી પોતાની તીર્થયાત્રા અટકાવી દે છે.

વસંતપંચમી તેમજ અખાત્રીજનું વણજોયું મુહૂર્ત ગણાય છે કારણ કે એ સમયે પ્રકૃતિ સદાય સોળ કળાએ ખીલેલી હોય છે.

કોઈ પણ વ્યક્તિ ધન અને કીર્તિ કમાય એટલે એ માનસિક રીતે એટલો બધો નબળો થઈ જાય છે કે શુકન-અપશુકનના રવાડે ચઢી જ જાય છે. રાજકારણીઓ, રમતવીરો, ફિલ્મસર્જકો ,  હીરો-હીરોઈનો બધાને આ વાત એક સરખી લાગુ પડે છે. અમુક જગ્યાની મુલાકાત લેનાર મુખ્યમંત્રી પોતાનું પદ ગુમાવે છે, ફિલ્મના નામના સ્પેલિંગમાં અમુક અક્ષર બેવડાવવાથી ફિલ્મ સફળ થશે, ચોક્કો કે છક્કો વાગે એટલે તાવીજ ચુમવું, સદી વાગે એટલે જમીન ચુમવી, પોતાનું બેટ ન બદલવું, નંગની વીંટીઓ, ગળામાં પેંડંટ વગેરે મનોરોગની નિશાનીઓ છે. એમાંથી કોણ બચ્યું છે ? જ્યોતિર્વૈદ્યૌ નિરંતરૌ. એટલે કે જ્યોતિષી અને વૈદ્ય સદાય કમાવાના જ ! એમના ધંધામાં ક્યારેય મંદિ આવવાની જ નહિ ! કારણ કે હંમેશા શારીરિક અને માનસિક રીતે નબળા માણસો સમાજમાં હોવાના જ !

આત્મવિશ્વાસથી ભરપૂર માણસ શુકન-અપશુકન પર આધારિત રહેતો નથી. પોતાના બાહુબળના આધારે એ અશક્યને શક્ય કરી શકે છે.

“‘ ન કરતો ભાગ્યની પરવા હું ખુદ એને ઘડી લઉં છું,
ગ્રહો વાંકા પડે તો એને સીધા ગોઠવી દઉં છું.” 

આત્મવિશ્વાસની સાથે-સાથે ઈશવિશ્વાસ આવશ્યક છે. માનવ પ્રયત્ન અને ઈશકૃપાથી બધું જ સંભવ છે.

Via whatsapp